તંત્રી સ્થાનેથી
વર્તમાન વિશ્વ કયાં જઈને અટકશે ?
બોધકથા..નં. ૧૦૮
કુફફાર - મુશરીકીન ગુનાહો છતાં સારી સ્થિતિમાં કેમ ?
દુનિયામાં મુસલમાનો ઉપર આવતી મુસીબતોમાં અલ્લાહ તઆલાની હિકમત અને મસ્લેહત
માહે મુહર્રમ, ઈસ્લામી ઈતિહાસનો યાદગાર મહીનો
'મુહર્રમ' ઈસ્લામી વરસનો પહેલો મહીનો છે, ઈસ્લામી વરસ ચંદ્ર આધારિત છે, એને હિજરી સન કહેવામાં આવે છે, કારણ કે ઈસ્લામી ઈતિહાસ પ્રમાણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતના દિવસથી એનો આરંભ થાય છે. ૧૪૩૨નો મતલબ એ થાય છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની હિજરતને ૧૪૩૧ વરસ વીતી ગયાં છે. મુસલમાનોની ઘણી બધી ઇબાદતો આ વરસના દિવસો આધારિત છે, માટે એને ઈસ્લામી કેલેન્ડર પણ કહેવામાં આવે છે.
વરસની ગણતરીની બીજી રીત ઈસ્વી સન પણ છે, એ સુર્યગતિ આધારિત છે, હઝ. ઈસા અલૈ.ના જન્મદિવસથી એની ગણતરી શરૂ થાય છે, એટલે ૨૦૧૧ કહેવાનો મતલબ એ થયો કે હઝ. ઈસા અલૈ. ના જન્મને ૨૦૧૦ વરસ વીતી ગયા.
મુસલમાનોની ઈબાદતનો સંબંધ ચંદ્ર અને સૂર્ય બન્ને ઉપર આધારિત છે, જેમ કે નમાઝોનો સમય સૂર્યની ચાલ ઉપર આધારિત છે, અને રમઝાન તેમજ ઈદનો દિવસ ચંદ્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાંયે દિવસનો એતેબાર ચંદ્ર પ્રમાણે અને સમયનો એતેબાર સૂર્ય પ્રમાણે કરવામાં આવે છે, જેમ કે રમઝાન માસનો આરંભ અંત ચંદ્ર દ્વારા નક્કી થાય છે પણ રોઝાની સહેરી – ઈફતારનો સમય સૂર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. હજના દિવસો ચંદ્રની ચાલથી નક્કી થાય છે, પણ હજના અરકાન અદા કરવાના સમયો સૂર્યની ચાલ –ભ્રમણથી નક્કી કરવામાં આવે છે.
ઈસ્લામી ઈબાદતોના દિવસો ચંદ્ર આધારિત કરવા પાછળ એક હિકમત આ પણ છે કે, સૂર્યવરસ કરતાં ચંદ્રવરસ દસ દિવસ નાનું હોય છે, માટે મુસલમાનોને વરસની દરેક ઋતુના રોઝા અને હજનો અવસર મળે છે. એક મુસલમાનને બાલિગ થયા પછી સામાન્ય ઉમર પ્રમાણે દરેક ઋતુમાં રોઝા રાખવાનો અવસર મળી આવે છે. મુહર્રમ સાથે ઈસ્લામી ઈતિહાસની ઘણી યાદગાર ઘટનાઓ જોડાયેલી છે, નુબુવ્વત પૂર્વેની પણ અને વફાત પછીની પણ.
બુખારી શરીફની એક રિવાયતમાં છે કે મક્કાના કુરૈશીઓ દસમી મહોર્રમનો રોઝો રાખતા હતા, એનું કારણ એ બતાવતા હતા કે આ દિવસે જ હઝરત ઈબ્રાહીમ અલૈ.ને આગમાં નાખવામાં આવ્યા હતા અને અલ્લાહ તઆલાએ આગ એમના માટે બાગ બનાવી દીધી હતી. હિજરત પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મદીના આવ્યા, તો યહૂદીઓને પણ આ દિવસના રોઝા રાખતા જોયા, એમને પૂછતાં જણાયું કે આ દિવસે બની ઈસરાઈલને હઝ. મૂસા અલૈ.ના નેતૃત્વમાં એમના શત્રુ ફિરઔનથી છુટકારો મળ્યો હતો, જેથી બની ઈસરાઈલ માટે આઝાદી અને ખુશીનો દિવસ છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ જાણીને ફરમાવ્યું કે અમે તો હઝરત મૂસા અલૈ. સાથે તમારા કરતાં વધારે સંબંધ અને નિકટતા ધરાવીએ છીએ, અમે પણ આ દિવસનો રોઝો રાખીશું, ત્યારથી આ રોઝો મુસલમાનો પર ફરજ હતો, રમઝાનના રોઝા ફરજ થયા પછી આ રોઝો નફલ કરી દેવામાં આવ્યો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જીવનના છેલ્લા વરસે એમ પણ ફરમાવ્યું કે, યહૂદીઓના રોઝાથી આપણો રોઝો નોખો હોય એ માટે આગલા વરસથી આશૂરાના બે રોઝા રાખીશું, પણ તે પહેલાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ ગઈ, આ કારણે જ ઉલમા કહે છે કે, દસમી મહોર્રમ સાથે એક દિવસ આગળ કે પાછળનો રોઝો પણ રાખવો જોઈએ.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત પછી બે મહત્વની ઘટનાઓ મહોર્રમથી જોડાયેલી છે અને દર વરસે મુસલમાનો આ ઘટનાઓને યાદ કરે છે, પહેલી ઘટના હઝરત ઉમર (રદિ.)ની શહાદત છે, જે પહેલી મહોર્રમના દિવસે થઈ. બીજી ઘટના દસમી મહોર્રમે હઝરત હુસૈન (રદિ.) અને ખાનદાને નુબુવ્વત 'એહલે બયત'ના બીજા સભ્યોની શહાદત છે. કરબલા ખાતે ઘટેલ 'એહલે બયત'ની શહાદતની આ ઘટના ઈસ્લામી ઈતિહાસ માં અનોખુ મહત્વ ધરાવે છે.
શહાદતની ઘટનાઓના મહત્વ પાછળ આ બન્ને શહીદોની મહાનતા છુપાયેલી છે. હઝરત ઉમર (રદિ.), નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાથી, સહાયક અને મહાન સહાબી છે, ઈસ્લામના બીજા ખલીફા છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ અનેક હદીસોમાં આપની ફઝીલત અને મહાનતા વર્ણવી છે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે. 'જો મારા પછી કોઈ નબી આવવાના હોત તો તે હઝરત ઉમર (રદિ.) હોત. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખે ઉચ્ચારેલ આ ફઝીલત પછી હઝરત ઉમર (રદિ.)ની મહાનતા વિશે કંઈ કહેવાનું બાકી રહેતું નથી.
હઝરત હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પ્યારા નવાસા છે. નુબુવ્વતના ખોળામાં રહીને નબવી લાડ-કોડ સાથે ઉછરવાની આ સઆદત ફકત હઝરત હસન અને હુસૈન રદિ.ને જ પ્રાપ્ત છે.
હઝરત અબૂ હુરયરહ (રદિ.) ફરમાવે છે કે એક દિવસ હઝરત હસન રદિ. અને હઝરત હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ખભા ઉપર ઉછળ કૂદ કરી રહયા હતા, મેં આ દ્રશ્ય જોઈ અરજ કરી કે યા રસૂલલ્લાહ ! તમને આ નવાસાઓથી ઘણો પ્રેમ છે, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, 'આ બન્ને તો મારા ફુલ છે'.
એક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જુમ્અહનો ખુત્બહ આપતા હતા, અને સામેના મેદાનમાં બન્ને રમી રહયા હતા, રમતા રમતા તેઓ પડી ગયા, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ખુત્બાની વચ્ચે જ મિમ્બર પરથી ઉતર્યા અને બન્નેને ઊંચકીને મિમ્બર પર લઈ ગયા, પછી ફરમાવ્યું કે મારાથી આ બાળકોનું પડી જવું સહન ન થયું, એટલે ખુત્બાની વચ્ચે મારે જવું પડયું.
હદીસોમાં છે કે હઝરત હસન (રદિ.) અને હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના હમશકલ – એક રૂપ હતા, હઝરત હુસૈન (રદિ.) છાતીથી ઉપરના ભાગે અને હઝરત હસન (રદિ.) નીચેના ભાગમાં એકરૂપ હતા. એક દિવસે હઝ. ફાતિમહ (રદિ.) આ બન્નેને ઉઠાવીને નાઝ-ગર્વથી ફરમાવતાં હતાં કે, ખુદાની કસમ ! આ બન્ને મારા બાપ ઉપર ગયા છે, એમના બાપ ઉપર નહિ.
હઝરત હસન (રદિ.) અને હઝરત હુસૈન (રદિ.) આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના અતિપ્રિય નવાસા હતા, એટલે સઘળા જ મુસલમાનોને એમનાથી પ્યાર હોય એ સ્વભાવિક છે. આ પ્યાર, મહોબ્બતની બધી ઘટનાઓનું અત્રે વર્ણન શકય પણ નથી, અત્રે મહોર્રમ મહીનાથી શહાદતનો સંબંધ ધરાવતા બન્ને મહાન સહાબા (રદિ.)થી સંબંધિત એક એક વાત અરજ કરી દઈએ.
હઝરત ઉમર (રદિ.)ને જયારે જખ્મી કરવામાં આવ્યા અને તબીબોએ નિરાશ થઈને વસીય્યત કરવાનું કહી દીધું તો આ પરિસ્થિતિમાં પણ એમના પુત્ર હઝરત ઈબ્ને ઉમર (રદિ.)એ એમનું ધ્યાન દોર્યું કે અબ્બા જાન ! ફજરની નમાઝમાં જખ્મી થવાથી તમારી ફજરની નમાઝ બાકી છે, તે અદા કરી લ્યો, હઝરત ઉમર (રદિ.)એ તયમ્મુમ કરીને નમાઝ અદા કરવાનો પ્રયત્ન કર્યો તો બેહોશ થઈ ગયા, બે, ત્રણવાર આવું થયું, પણ હઝરત ઈબ્ને ઉમર (રદિ.) એમને બરાબર યાદ અપાવતા રહયા, અને હઝરત ઉમર (રદિ.)એ આવી સ્થિતિમાં પણ નમાઝ અદા કરી લીધી.
આ જ પ્રમાણે હઝરત હુસૈન (રદિ.)એ કરબલાના મેદાનમાં શત્રુઓ સામે ચાલુ લડાઈએ પણ નમાઝ અદા કરી, કહે છે કે પહેલું તીર આપને નમાઝની હાલતમાં જ વાગ્યું હતું, અને નમાઝ પઢતાં પઢતાં જ તેઓ શહીદ થયા છે.
માટે આપણા આ બન્ને બુઝુર્ગોનો પયગામ આપણા માટે આ છે કે દીન અને ઈસ્લામ પર દ્રઢતાપૂર્વક અમલ કરવામાં આવે અને નમાઝની તો હર હાલતમાં પાબંદી કરવામાં આવે. કહી શકાય કે, હઝ.ઉમર (રદિ.)એ એમના શાસનકાળમાં ન્યાય અને સમાનતાની જે પરંપરા સ્થાપિત કરી હતી, એને પૂરી સ્થાપિત કરવાના પ્રયત્નોમાં જ હઝ. હુસૈન (રદિ.) જાનની બાજી લગાવીને શહીદ થઈ ગયા, એમનું આ મિશન આપણા ઉપર બાકી છે, અલ્લાહ તઆલા આપણને એમના અનુસરણની તોફીક આપે. - પુનઃપ્રકાશન. અલબલાગ ડિસે.૨૦૧૦.
આખિરતમાં શહીદો માટે નેઅમતો, ઉહદ પછીની બે ઘટનાઓ અને સહાબાનો ઈમાની જોશ
- મુફતી ફરીદ અહમદ કાવી.
وَ لَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰہِ اَمْوَاتًا ؕ بَلْ اَحْیَآءٌ عِنْدَ رَبِّھِمْ یُرْزَقُوْنَ ﴿ۙ۱۶۹﴾ فَرِحِیْنَ بِمَاۤ اٰتٰھُمُ اللّٰہُ مِنْ فَضْلِہٖ ۙ وَ یَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِھِمْ مِّنْ خَلْفِھِمْ ۙ اَلَّا خَوْفٌ عَلَیْھِمْ وَ لَا ھُمْ یَحْزَنُوْنَ ﴿ۘ۱۷۰﴾ یَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰہِ وَ فَضْلٍ ۙ وَّ اَنَّ اللّٰہَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ ﴿ۚ۱۷۱﴾ اَلَّذِیْنَ اسْتَجَابُوْا لِلّٰہِ وَ الرَّسُوْلِ مِنْۢ بَعْدِ مَاۤ اَصَابَھُمُ الْقَرْحُ ؕۛ لِلَّذِیْنَ اَحْسَنُوْا مِنْھُمْ وَ اتَّقَوْا اَجْرٌ عَظِیْمٌ ﴿ۚ۱۷۲﴾ اَلَّذِیْنَ قَالَ لَھُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْھُمْ فَزَادَھُمْ اِیْمَانًا ٭ۖ وَّ قَالُوْا حَسْبُنَا اللّٰہُ وَ نِعْمَ الْوَكِیْلُ ﴿۱۷۳﴾ فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِّنَ اللّٰہِ وَ فَضْلٍ لَّمْ یَمْسَسْھُمْ سُوْٓءٌ ۙ وَّ اتَّبَعُوْا رِضْوَانَ اللّٰہِ ؕ وَ اللّٰہُ ذُوْ فَضْلٍ عَظِیْمٍ ﴿۱۷۴﴾ اِنَّمَا ذٰلِكُمُ الشَّیْطٰنُ یُخَوِّفُ اَوْلِیَآءَہٗ ۪ فَلَا تَخَافُوْھُمْ وَ خَافُوْنِ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ﴿۱۷۵﴾
તરજમહ : અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા (શહીદ થયા) તેમને તમે કદાપિ મુરદા ગણશો નહિ, બલકે એમના પરવરદિગાર પાસે જીવંત છે, રિઝક પણ મેળવે છે. (૧૬૯) અલ્લાહે એની મહેરબાનીથી જે કંઈ એમને આપ્યું છે એનાથી ખુશ છે, અને એમની પાછળના જે લોકો એમની પાસે પહોંચ્યા નથી, એમના વિશે ખુશી અનુભવે છે કે એમના ઉપર પણ કોઈ ડર અને ગમ ન હશે. (૧૭૦) અલ્લાહની નેઅમત અને મેહરબાની ઉપરાંત તેઓ આ બાબતે પણ ખુશી અનુભવે છે કે અલ્લાહ ઈમાનવાળાઓનો અજ્ર (સવાબ) નિરર્થક નથી કરતા. (૧૭૧) જેમણે ઝખમી (નુકસાન) થયા પછી પણ અલ્લાહ અને રસૂલ (સલ.)ની વાત માની, આવા નેકી કરનાર અને ડરનાર (પરહેઝગાર) લોકો માટે બહોળો અજ્ર (સવાબ) છે. (૧૭૨) આ તે લોકો છે જેમને અન્ય લોકોએ કહ્યું કે : (તમારા દુશ્મન) લોકો તમારી સામે લડવા ભેગા થયા છે, માટે એમનાથી ડરજો, તો આ વાતે એમનું ઈમાન વધારી દીધું અને કહી દીધું કે અમને અલ્લાહ કાફી છે અને તે બેહતરીન ભરોસાપાત્ર કામ કરનાર (કાર્યસાધક) છે. (૧૭૩) અંતે તેઓ અલ્લાહની નેઅમત અને મહેરબાની લઈને એવા પરત ફર્યા કે એમને કોઈ તકલીફ પહોંચી નહિ. અને તેઓ અલ્લાહની મરજીને તાબેદાર રહયા. અને અલ્લાહ તઆલા ઘણી મહેરબાની વાળો છે. (૧૭૪) આ તો ફક્ત શયતાન (તમને) એના મિત્રોથી બીવડાવે છે, માટે તમારે એમનાથી ડરવું નહિ, પણ જો તમે ઈમાનવાળા હોવ તો (ફકત) મારાથી ડરતા રહો. (૧૭૫)
તફસીર : અગાઉની આયતોમાં મુનાફિકોનું આ કથન આવ્યું હતું કે આ લોકો (મુસલમાનો) અમારી વાત માનીને ઘરે બેસી રહયા હોત તો માર્યા ન ગયા હોત ! એમને પ્રથમ એક જવાબ તો આ આપવામાં આવ્યો કે ઘરે બેસી રહેવાથી મોત નહિં આવે એમ તમે માનો છો તો જયારે ઘરે જ તમારી મોત આવે તો બચીને બતાવજો. ઘરે રહીને પણ એના સમયે મોત આવવાની હોય તો મેદાને જંગની મોત પણ એના સમયે જ કહેવાય. હવે આ આયતોમાં એમને એક બીજો જવાબ આપવામાં આવ્યો કે, રાહે ખુદામાં મરનારા લોકો વિશે એમ ન સમજો કે જિંદગી પૂરી થઈ ગઈ, લડાઈમાં ન ગયો હોત તો વધુ જિંદગી જીવવા મળત ! કારણ કે રાહે ખુદામાં મર્યા પછી પણ માણસ અલ્લાહ તઆલા પાસે જીવંત જ રહે છે અને અલ્લાહ તઆલા એને જન્નતની રોઝી પણ આપે છે. અગાઉ સૂરએ બકરહ આયત : ૧૫૪ માં પણ આ વાત આવી ચુકી છે. ત્યાં આ બાબતે જે વિગત લખી છે, ફરીવાર એને ટુંકમાં જોઈ લઈએ :
અલ્લાહના રસ્તામાં શહીદ થનાર લોકો બીજા મૃત લોકોની જેમ મૃત નથી હોતા, બલકે તેઓ અનેક રીતે જીવંત હોય છે. એમને અલ્લાહ તઆલા તરફથી રોઝી પણ આપવામાં આવે છે. મતલબ કે શહીદ થનાર માણસનો પ્રાણ એળે નથી જતો, એ તો એક નવા પ્રકારની જિંદગી મેળવે છે, જેમાં એને પરવરદિગાર તરફથી રોઝી પણ મળતી હોય છે.
મૃત્યુ પછી કબરમાં સવાલ - જવાબ અને અઝાબ - રાહતની વિગત અનેક હદીસોમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરવામાં આવી છે. અને એ મુજબ દરેક જ માણસ, ચાહે શહીદ હોય કે ન હોય, એને કબરમાં એક વિશેષ પ્રકારની જિંદગી એવી આપવામાં આવશે જેના થકી એને સવાલ - જવાબ કરવામાં આવશે અને કબરમાં અઝાબ અથવા રાહત આપવામાં આવશે. આ વિગતના આધારે પ્રશ્ન ઉદભવે છે કે પછી શહીદ વિશે એમ કહેવાનો શો મતલબ કે તેઓ જીવંત છે ? બધા જ લોકો મર્યા પછી ઉપરોકત આધારે જીવંત હોય છે. આ પ્રશ્નનો ઉત્તર આ છે કે શહીદ મય્યિત અને સામાન્ય મય્યિત, બન્નેને કબરમાં આપવામાં આવતા નવા જીવનની કેફિયત અને દરજો અલગ અલગ હોય છે. આ અલગ હોવાના દરજાની સાચી વિગત અલ્લાહ તઆલા જ જાણે છે, પણ એને સમજવા માટે આટલો પૂરાવો કાફી છે કે સાચા શહીદનું શરીર જમીનમાં દફન કર્યા પછી પણ હમેંશા એમ જ રહે છે. કોહવાતું નથી કે જંતુઓ એને ખાય શકતા નથી. જેમ કે જીવંત માણસનું શરીર. આ વાસ્તવિકતાથી પૂરવાર થાય છે કે મરવા પછી બરઝખની જિંદગીમાં શહીદ અને સામાન્ય માણસ વચ્ચે ઘણો ફરક હોય છે. આયતથી આ બાબત સ્પષ્ટ રીતે પૂરવાર થઈ કે શહીદ મરવા પછી પણ જીવંત રહે છે અને એને અલ્લાહની નેઅમતો મળે છે તો એનાથી જ આ બાબત આસાનીથી સમજી શકાય છે કે અલ્લાહના દુશ્મનનોને મરવા પછી કબરમાં અઝાબ થશે.
કુલ મળીને આ આયતમાં શહીદો માટે ત્રણ ખૂશખબરીઓ છે. પ્રથમ આ કે તેઓ હમેંશા જીવંત રહેશે. બીજી આ કે એમને અલ્લાહ તઆલા તરફથી વિશેષ રોઝી આપવામાં આવશે. ત્રીજી ખૂશખબરીનું વર્ણન આગળની આયતમાં છે કે પોતાના જે સંબંધીઓ હજુ દુનિયામાં છે એમના વિશે પણ તેઓ એમ વિચારીને ખુશી અનુભવે છે કે જો તેઓ પણ દુનિયામાં રહીને નેક અમલ અને જિહાદ કરશે તો અહિંયા આવીને આવી જ નેઅમતો અને ઉચ્ચ દરજાઓ એમને મળશે. મઆરિફુલ કુર્આનમાં છે કે શહીદના કોઈ સગા- સંબંધીનું મૃત્યુ નજીક હોય તો શહીદને પહેલાંથી એની ખબર કરવામાં આવે છે કે ફલાણો માણસ તમારી પાસે આવી રહયો છે, જેનાથી એને એવી જ ખુશી થાય છે જેમ દુનિયામાં કોઈ છુટા પડી ગયેલા દોસ્તના મળવાથી થતી હોય છે.
અબૂદાવૂદ શરીફમાં છે કે ઉહદમાં શહીદ થનાર સહાબા રદિ.ની રૂહોને અલ્લાહ તઆલાએ લીલા રંગના સુંદર પક્ષીઓ શરીરમાં દાખલ કરીને જન્નતમાં ફરવા ખુલ્લી છોડી દીધી કે જન્નતની નહેરો અને બાગોમાં ફરીને ખાય અને પીએ અને મોજ કરે અને પાછી આવીને અલ્લાહના અર્શ નીચે લટકતી ફાનૂસ કે ઝુમરમાં રહે. આ બધી નેઅમતો જોઈને તેઓ કહેવા લાગ્યા કે અમારા સંબંધીઓ તો અમારા મરવાથી દુનિયામાં ગમગીન છે. કોઈ અમારી આ હાલતની એમને જાણ કરી દે તો તેઓ પણ જાણી લે કે જો તેઓ પણ દુનિયામાં રહીને નેક અમલ અને જિહાદ કરશે તો અહિંયા આવ્યા પછી એમને પણ કોઈ ગમ કે તકલીફ નહીં પડે. એમની કુરબાનીઓ અને શહાદત બેકાર નહીં જાય. એમની આ ઇચ્છાના જવાબમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અમે તમારી હાલતની એમને જાણ કરી દઈએ છીએ અને પછી આ આયત નાઝિલ કરવામાં આવી.
આયત નં ૧૭૨. ઉહુદની લડાઈમાં એક રીતે કાફિરોનું પલ્લુ ભારે રહયું હતું, એટલે લડાઈ પૂરી થયા પછી જયારે બધા પાછા વળ્યા તો થોડેક દૂર ગયા પછી અબૂ સુફયાન અને કાફિરોને થયું કે બધા જ મુસલમાનોને ખતમ કરી નાખીએ એ જ બેહતર છે. આમ વિચારીને પાછા ફરવાનો ઇરાદો કર્યો પણ પછી ગભરાયા અને ડરના માર્યા એમ જ પાછા વળી ગયા. અલબત્ત ખોટી ચાલાકી કરીને મદીના તરફ આવતા અમુક મુસાફરોને કહયું કે મદીના જઈને મુસલમાનોને બીવડાવો કે મક્કા વાળાઓ મોટું લશ્કર ભેગું કરીને આવી રહયા છે. આ તરફ મદીનામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના ઇરાદાની ખબર પડી ત્યારે મુસલમાનોને પાછા લડવા બોલાવ્યા, અને આગલા દિવસની લડાઈમાં શરીક સહાબાને જ આવવાની તાકીદ ફરમાવી. આગલા દિવસની લડાઈમાં થાકેલા અને જખ્મી થયેલા આ સહાબાઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સાથે નીકળ્યા અને હમરાઉલ અસદ નામી સ્થળ સુધી આવ્યા. રસ્તામાં મક્કાથી આવતા નઈમ બિન મસ્ઉદ નામી માણસે મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી તો મુસલમાનોએ કહયું : 'હસ્બુનલ્લાહ વ નિઅ્મલ્વકીલ' અલ્લાહ અમારા માટે કાફી છે. સીરતની કિતાબોમાં આ ઘટનાને ગઝવએ હમરાઉલ અસદ કહેવામાં આવે છે.
અમુક તફસીરકારોના મતે આ આયત ઉહદની લડાઈ પછી એક વરસે થયેલ એક બીજી ઘટના બાબતે નાઝિલ થઈ છે. ઉહદની લડાઈ પૂરી થયે કાફિરોનો સરદાર અબૂ સુફયાન કહેતો ગયો કે આવતા વરસે બદ્રમાં ફરી લડીશું તો હુઝૂર (સલ.)એ કબૂલ કર્યું. જયારે તે વખત આવ્યો ત્યારે હુઝૂર (સલ.)એ લોકોને લડાઈ પર નીકળવાનો હુકમ કર્યો, આગલી વેળા ઉહુદમાં ઝખમી થયેલા લોકો તૈયાર થઈ સાથે ગયા. તેમના માટે આ આયતમાં ખુશખબરી છે કે હાર્યા અને જખમી થયા છતાં પણ હિમ્મત હાર્યા નહિ. અબૂ સુફયાન મક્કાથી લડાઈના ઈરાદે નીકળ્યો તો ખરો, પણ ચાહતો હતો કે મુસલમાનો ન આવે તો સારું. તેમના જ ઉપર આક્ષેપ મૂકીશું કે આવ્યા નહિ. આ હેતુ માટે મદીના તરફ જનાર એક માણસને કંઇક આપીને કહ્યું કે ત્યાં અમારા તરફથી એવી વાતો ઉડાવજો કે તેઓ ડરના માર્યા લડવા આવે નહિ. આમ કરીને તે દુકાળના બહાને પાછો વળી ગયો. પેલો માણસ મદીનામાં આવી કહેવા લાગ્યો કે મક્કાવાળાઓની સંખ્યા બહુ જ છે, તમારે લડવું ન જોઇએ. આ સાંભળી મુસલમાનોમાં ભયને બદલે ઈમાની જોશ વધી ગયો અને કહેવા લાગ્યા કે ''હસ્બુનલ્લાહુ વ નિઅ્મલ વકીલ’' સર્વ જગતના મુકાબલામાં અમને એકલો અલ્લાહ જ બસ છે. ફરી વાયદા પ્રમાણે બદ્ર મુકામે આવી પહોંચ્યા, પણ લડાઇ થઈ નહિ. ત્રણ દિવસ ત્યાં થોભ્યા અને બદ્રના બજારમાં વેપાર કરી ઘણો નફો મેળવી પાછા ફર્યા.
આ ઘટનામાં અલ્લાહ તઆલાએ મુસલમાનોને ચાર નેઅમતો અતા ફરમાવી. એક તો કાફિરો ઉપર મુસલમાનોનો એવો રોબ છવાય ગયો કે લડયા વગર એમણે પાછા ફરી જવું પડયું. બદ્રના મેળામાં વેપાર કરવાથી મુસલમાનોને ઘણો નફો મળ્યો. લડાઈ ન થવાથી જાનહાનિ કે ઝખમનું કોઈ નુકસાન ન થયું અને સહુથી મોટી નેઅમત આ મળી કે અલ્લાહ તઆલાની રઝામંદીનો પરવાનો કુર્આનમાં આપવામાં આવ્યો.
છેલ્લી આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે શત્રુઓ ભેગા થઈ રહયા છે, પાછા હમલો કરવા આવી રહયા છે, એવા સમાચારો આપીને ડરાવનાર માણસ શયતાન છે. જે તમને એના દોસ્તોથી ડરાવવા માંગે છે, પણ મુસલમાનોએ એનાથી ડરવાની જરૂરત નથી, મુસલમાનોએ અલ્લાહ તઆલાથી જ ડરવું જોઈએ. મવલાના દરયાબાદી રહ. લખે છે કે શયતાન કદી પોતાની અસલી શકલમાં આવીને હમલો નથી કરતો. કોઈને કોઈ માણસની શકલમાં જ વાર કરે છે. અને આ લોકો જ શયતાનના દોસ્તો હોય છે.
મઆરિફુલ કુર્આનમાં છે કે, મશાઈખ અને ઉલમાએ લખ્યું છે કે આ દુઆ (હસ્બુનલ્લાહુ વ નિઅ્મલ વકીલ) એક હઝાર વાર ઇખ્લાસ સાથે પઢીને દુઆ કરવામાં આવે તો અલ્લાહ તઆલા જરૂર કબુલ ફરમાવે છે. મુસીબતો, અને ચિંતાઓ દૂર કરવા માટેનો આ મુજર્રબ અમલ છે.
મકતબમાં શનિવારે કે રવિવારે રજા પાડવાનો હુકમ :
શરઈ માર્ગદર્શનMuharram one of the sacred months
arram one of the sacred months When did the Islamic Hijri calendar beg
Muharramul Haram is the first month of the Islamic calendar, i.e. the Hijri year starts off with Muharramul Haram and concludes with Dhul-Hijjah. In addition, Muharramul Haram is one out of such four months that have been called as the months of sanctity by the Almighty Allah. Holy Prophet(S.A.W.) has declared this month as the month of the Almighty Allah. Although, each and every day and month belongs to the Almighty Allah, but linking this month with the Almighty Allah emphasizes its superiority. Another merit of the month of Muharram is that fasting in it is of the greatest value (second only to the fasts of Ramadanul Mubarak). Hazrat Ali (May Allah be pleased with him) says: One day I was sitting with the Holy Prophet (ﷺ), a person came and asked: O Prophet of Allah (ﷺ) which month would you order me for fasting besides the month of Ramadan. Holy Prophet ( ﷺ) said, if you want to fast besides the month of Ramadan, then fast in Muharram as it is the month of Allah. There is a day in this month on which the Almighty Allah accepted the repentance of a race and He would accept the repentance of other people too. (Tirmizi, Vol: 1 P 157). The race that was pardoned this day was Bani Israel as it is explained in Hadeeth that the Almighty Allah granted salvation to Hazrat Musa (AS) and Bani Israel against Pharaoh and his troupe.
When it came to launching a new Islamic calendar in the time of Hazrat Umar Farooq, the Companions suggested different criteria for beginning of the Islamic calendar such as birth of the Prophet (peace and blessings of Allah be upon him), advent of prophet-hood and migration to Madinah. Ultimately, the companions agreed on migration to Madinah and started the Islamic calendar based on the year of Hijrah to Madinah. It means all the years before the migration to Madinah were made zero and the year of the migration to Madinah was recognized as the first year. As for the order of the months, it was arranged according to all the various calendars prevalent in the Arabs, that is, the beginning of the year from Muharram. As explained earlier, among the Arabs, the month of Muharram was the first month of the year since ancient times, so it was not changed in the Islamic calendar either. Thus the new Islamic calendar began with the migration from Medina, but the order of the months remained the same.
As per the solar system, there are 365 or 366 days in the Gregorian calendar, while there are 354 days in the Hijri calendar. But all calendars have 12 months. In the Hijri calendar the month is either 29 or 30 days while in the Gregorian calendar seven months are of 31 days, four months are 30 days and one month is 28 or 29 days. The system of both the sun and the moon is made by Allah. Numerous acts of worship in Islamic law are linked to the Hijri calendar. Due to the difference of 10 or 11 days in both calendars, the time of certain worships varies from season to season. This change of seasons is also a sign of Allah Almighty. We should pounder over and invite others to reflect on how the weather changes. Obviously, this is the command of Allah alone, Who created the seasons, and in each season He has ordained many things according to the seasons, as Allah says: "Surely in the creation of the heavens and the earth and in the alternation of night and day, great signs of Allah for those who have understanding and remember Allah while sitting and reclining, and reflect on the creation of the heavens and the earth, and say: Our Lord! You did not create all this in vain. You are free (from such nonsense). So save me from the torment of Hell. (Surah Al-Imran, Verse 190-191)
Let's all promise to ourselves on the commencement of the New Hijri Year that we will strive to please Allah in the remaining days of our life. We are enjoying life but we don't know when the angel of death will take out our life. The Messenger of Allah (PBUH) said: "Take advantage of five matters before five other matters: your youth, before you become old; and your health, before you fall sick; and your richness, before you become poor; and your free time before you become busy; and your life, before your death." (Mustadrak Hakim and Musannaf Ibn Abi Shaibah) The Prophet (PBUH) also said: "The two feet of the son of Aadam will not move from near his Lord on the Day of Judgment until he is asked about five (matters):- 1) about his life how he spent it; 2) about his youth - how he took care of it; 3) about his wealth how he earned it; 4) and where he spent it; 5) and about that which he acted upon from the knowledge that he acquired." Dear brothers, we all have to stand one day before our Creator, Master and Sustainer and will be questioned as to what we have done with our lives by Allah Who is nearer to us than our jugular vein, Who created us and is controlling everything.
All that we have gained from the last 354 days is nothing but a few sweet and bitter memories that we still have in our mind. Otherwise, we have forgotten all the past days as if we didn't live them at all. What we actually should do on this occasion inspect ourselves by looking back at the passed days and trying to recall how many vitreous or evil deeds we have added to our 'action sheet'. We should think whether we have succeeded to add such good deeds to the list of our actions that may benefit and bring happiness to us in the hereafter or have we, out of negligence and carelessness, got some more sins inscribed in the 'action sheet' that may make us among the losers in the world to come. We should realize if we observed the Islamic rituals such as Salah, Sawm, Sadaqa in the proper manner. Did we try to perform Salah with utmost humility and veneration (Khushu' and Khudu') or it was the same way we have been doing our worship since childhood? Did fasting helped us develop fear of Allah in us or it was a mere morning to evening starvation? Did we ever think of helping a needy person, an orphan or a widow? Did we rectify our behavior? Did we try to transform our conduct into that of the Messenger of Allah (PBUH)? Did we impart whatever religious knowledge we have to others? Did we take any step to teach our children what will be helpful for them in attaining success in the next never-ending life or was all that we cared providing them with modern education and worldly comforts? Did we try to help people during the running year or did we cause only troubles for them? Did we help the orphans and the widows or were we just spectators? Did we try to fulfill the rights that the Qur'an has upon us? Did we truly obey Allah and His Messenger (PBUH) throughout the year? Did we fulfill the rights of our parents, neighbors and the relatives?