Chapter : નમાઝ
(Page : 411)
સવાલઃ – અમારા ગામની તુર્બત પર કુર્આનના મતલબથી ના વાકિફ લોકોને પઢવા બેસાડી કુર્આન ખ્વાની રાખવામાં આવે તો એમાં બે અદબી જેવું ખરૂં ? આવી રીતે કબ્ર પર જોર જોરથી કુર્આન શરીફ પઢાવવું સારૂ કે ઘરે પઢાવવું સારૂ ? જવાબ : – જો આવા લોકો જે કુર્આનના મતલબથી નાવાકિફ છે, મોઢે કુર્આન શરીફ પઢી શકતા હોય અને આ કામ માટે કોઈ દિવસ નકકી ન સમજવામાં આવતો હોય અને ત્યાં ઓરતોની મવજુદગીથી બેપરદગી ન થતી હોય, ખતમ પઢાવનાર પઢનારાઓને ખાવું ન ખવડાવતો હોય કે પૈસા ન આપતો હોય અને અન્ય કોઈ પ્રકારની બિદઅત ન થતી હોય તો તેઓને કબ્ર પાસે કુર્આન શરીફ પઢવા બેસાડવા જાઈઝ છે.
(દુર્રે મુખ્તાર: ભાગ ૧ / કિ.મુફતી: ૧૮૪ ભાગઃ ૪)
અલબત્ત કબ્ર પર જોરથી કુર્આન શરીફ પઢવું મકરૂહ છે આહિસ્તા પઢવું જોઈએ. (આલમગીરી : ૩પ૦ ભાગ : પ)
જો ઉપર મુજબ મોઢે અને આહિસ્તા પઢવામાં આવે, ત્યાં કુર્આન શરીફમાં જોઈને ન પઢે અને કોઈ પ્રકારની બિદઅત પણ ન થતી હોય તો કબ્ર પર પઢવું જાઈઝ તો છે પરંતુ બેહતર એ છે કે આ પ્રમાણે કુર્આન શરીફ પઢવાને ન અપનાવે, કારણ કે હાલ ચાહે અહીં કોઈ બિદઅત ન થતી હોય, પણ ધીમે ધીમે આવી વસ્તુઓ બિદઅતથી પણ બુરાઈમાં વધી જાય છે. (ઈમદાદુલ મુફતી– પ–૬/ ર૦૦)
Log in or Register to save this content for later.