[૩૦પ ] મય્યિતને કબરમાં બેનમાઝી ઉતારે

Chapter : નમાઝ

(Page : 408)

સવાલ  : – મય્યિતને કબરમાં બેનમાઝી અને દાઢી મૂંડાવનાર માણસ ઉતારી શકે કે કેમ? અને જો કોઈ આવા માણસે મય્યિતને ઉતારી, તો કેવું ગણાશે

જવાબઃ – મજકૂર માણસ પણ મય્યિતને કબરમાં ઉતારી શકે છે પણ અફઝલ એ છે કે કબ્રમાં ઉતારનાર વ્યકિતઓ નેક અમાનતદાર અને તંદુરસ્ત મજબૂત હોય અને એકી સંખ્યામાં હોય.       (તહતાવી અલા મરાકીલ્‌ ફલાહ પે : ૩૩૪)

Log in or Register to save this content for later.