[૩૦૩] કબરમાં રેતી અને સિમેન્ટના ઢાંકણા મૂકવા

Chapter : નમાઝ

(Page : 405-406)

સવાલ :– અમારે ત્યાં મય્યિતની દફન વિધી બગલી કબરો માં થાય છે. અને બગલી કબરોમાં અમો માઢીયા (જે ખાણો માંથી નિકળે છે.) વાપરીએ છીએ પરંતુ તેની સાચવણી વધુ કરવી પડે છે અને અમુક તૂટી પણ જાય છે. અમુક સમયે કબરો પણ બેસી જાય છે.મોંઘા પણ પડે છે.તો અમો હવે એવું વિચારીએ છીએ કે સિમેન્ટ –રેતી થી પાપળા બનાવી લઈએ અને કબરોમાં વાપરીએ તો શું આ શકલ સહીહ છે? ચર્ચા વિચારણા દરમ્યાન અમુક વાતો અમારી સમક્ષ એવી આવી કે ”ઉલમા” આગથી પકાવેલી વસ્તુ કબરોમાં વાપરવાની મનાઈ કરે છે.

               હવે સિમેન્ટ બાબત એવી છે કે અમુક માણસો એમ કહે છે કે એને માત્ર ઈલેકટ્રીક હીટ (જયત) આપવામાં આવે છે અને અમુક વ્યકિત એવુ કહે છે કે ખાલી ચકકી – ગ્રાઈન્ડરમાં દળાય છે એટલે કે પિસવામાં આવે છે.

               ઉપરના મંતવ્ય મુજબ જો ઈલેકટ્રીક હીટ આપવામાં આવતી હોય તો શું હુકમ છે? અને જો ચકકી – ગ્રાઈન્ડરમાં પિસાતી હોય તો શું હુકમ છે ? વિસ્તાર પૂર્વક જવાબ આપશો.

જવાબ :–  પૂછેલી સૂરતમાં બગલી કબરને બંધ કરવાની અને મય્યિત તથા કબરની હિફાઝતની નિય્યતથી કબરમાં સિમેન્ટ રેતીનો તખતો અને સ્લેબ મૂકવો વિના કરાહતે જાઈઝ છે. ચાહે સિમેન્ટની બનાવટમાં તેને ઈલેકટ્રીક હીટ આપવામાં આવતી હોય. (શામી–૧/૬૦૦)

Log in or Register to save this content for later.