Chapter : નમાઝ
(Page : 404-405)
સવાલ :– અમારા ગામમાં ઘણા વર્ષોર્થી શરીઅત મુજબ તમામ કામકાજ થઈ રહયા છે જેવા કે શાદી, મય્યિત વિગેરે. પરંતુ થોડા દિવસોથી અમારા ગામમાં જયારે મય્યિત થાય, પછી જયારે જનાઝો ઘરેથી કાઢીને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે ત્યારે ઘરેથી નિકળીને કબ્રસ્તાન જતા સુધી રસ્તામાં જનાઝહની પાછળ ઝોર શોરથી સલાત વ સલામ પઢવામાં આવે છે. તો સવાલ એ છે કે જનાઝહની પાછળ આ રીતે સલાતો સલામ પઢવું જાઈઝ છે કે કેમ તે કુર્આન અને હદીષની રોશનીમાં જણાવશો અને તેની ફઝીલત હોય તો બતાવશો જેથી પઢવા અને અમલ કરવાનો શોખ થાય અને જો જાઈઝ નથી તો આવુ કામ શરૂ કરનારને અને તેને સાથ આપનારને કુર્આન અને હદીષ શું કહે છે અને તેનો શું ગુનોહ છે? જનાઝહની પાછળ ચાલતી વખતે શું પઢવું અને તેનો શું સવાબ છે?
જવાબ :– જનાઝહની સાથે જોર શોરથી સલાતો સલામ પઢવી એ કુર્આન હદીષથી કે સહાબએ કિરામ (રદિ.), મુજતહિદ ઈમામો (રહ.) અને ફિકહની કિતાબોમાં કોઈ ફકીહથી સાબિત નથી, માટે એ નાજાઇઝ અને બિદઅત છે.
હનફી ફિકહની મશહૂર કિતાબ બહરમાં નકલ છે કે જનાઝહ પાછળ જનારે ખામોશીથી ચાલવું જોઈએ અને ફતાવા ઝહીરિય્યહમાં છે કે જનાઝહ સાથે ચાલનાર જો ઝિકર કરવા ચાહે તો આહિસ્તાથી મનમાં ઝિકર કરે અને સલાતો સલામ પણ એક દુઆ અને ઝિક્ર જ છે, માટે જો કોઈ દુરૂદ શરીફ પઢવા ચાહે તો આહિસ્તા મનમાં સલાત – સલામ પઢી શકે છે, જોરથી પઢવું મકરૂહ અને બિદઅત છે અને જનાઝહ સાથે કોઈ ખાસ વસ્તુ પઢવાનો સબૂત પણ નથી.
(શામી–૧/પ૯૮)
Log in or Register to save this content for later.