Chapter : નમાઝ
(Page : 403-404)
સવાલઃ– બધી મય્યિતોની એક નમાઝ પઢવામાં આવે તો બધા જનાઝાઓ કેવી રીતે મૂકવામાં આવે અને કઈ તરતીબથી મૂકવામાં આવે?
જવાબ :– આ સૂરતમાં ઈમામ સામે જનાઝાઓ ક્રમવાર એ પ્રમાણે ગોઠવવા બેહતર છે કે ઈમામથી સૌથી નજીક બાલિગ મર્દોના જનાઝા હોય અને તે પછી નાબાલિગ છોકરાનો અને તે પછી બાલિગ ઔરતનો અને તેના પછી કિબ્લા તરફ નાબાલિગ છોકરીનો.
જો જનાઝા વધુ હોય અને ઈમામ સામે બધા જનાઝા મૂકાય એટલી જગ્યા ન હોય તો જનાઝાઓની એ પ્રમાણે સફ બનાવવી પણ જાઈઝ છે કે એકના પગ પાસે બીજાનું માથુ રહે અને આ સૂરતમાં ઈમામ જનાઝાઓની સફની વચ્ચે ઉભા રહી નમાઝ પઢાવે અને બેહતર સૂરત આ છે કે ઈમામ સામે સૌથી અફઝલ મય્યિતનો જનાઝહ મૂકવામાં આવે. (શામી – ૧ /પ૮૯)
Log in or Register to save this content for later.