[ર૯પ ] મસ્જિદમાં સુવા વિશે

Chapter : નમાઝ

(Page : 394-395)

સવાલ :– અમારા ગામના કેટલાક લોકો પોતાના ઘરો હોવા છતાં મસ્જિદમાં સૂઈ જાય છે. ગરમીની મોસમમાં તો સહનમાં કે મસ્જિદના ધાબા ઉપર સુઈ જાય છે. પરંતુ વરસાદ અને ઠંડીની મોસમમાં જમાઅતખાનામાં બિસ્તર પાથરી સૂઈ જાય છે જેમાંથી અમુક જ તહજ્જુદની નમાઝ પઢવા ઉઠે છે અને તેઓને જમાઅતખાનામાં સૂવાથી રોકવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમો તો એઅતિકાફની નિય્યતથી સૂઈએ છીએ તો શું આ પ્રમાણે જમાઅતખાનામાં સૂવું દુરૂસ્ત છે ?

જવાબ :– જે માણસે એઅતિકાફની નિય્યત કરી હોય તેના માટે મસ્જિદમાં સુવું જાઈઝ છે અને સૂવા માટે એઅતિકાફની નિય્યત કરનારે સુતાં પહેલાં થોડો સમય નમાઝ, ઝિક્ન તિલાવત કર્યા પછી સૂવું જોઈએ. ચાહે પોતાનું ઘર હોય તો પણ મજકૂર સૂરતમાં સૂઈ શકે છે. અલબત્ત એઅતિકાફની નિય્યત કરી સુનાર માટે પણ એ વાતનો ખયાલ રાખવો ઝરૂરી છે કે ઝિક્ન તિલાવત કર્તાઓને અને નમાઝ પઢનારાઓને કોઈ તકલીફ ન થાય અને તેઓને એના સૂવાથી કોઈ અગવડ ઊભી ન થાય અને એ વાતનો ખ્યાલ રાખવો પણ ઝરૂરી છે કે મસ્જિદમાં ગંદકી થવા ન પામે. દા.ત., બિસ્તર એવો ગંદો હોય કે જેનાથી મસ્જિદમાં માંકડ, મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે અથવા દુર્ગંધ ફેલાય. કારણકે કુર્આન અને હદીસથી મસ્જિદની સફાઈ જાળવવાની ઘણી તાકીદ આવેલી છે. ગરમીના કારણે મસ્જિદના ધાબા ઉપર બિસ્તર લઈ કે વગર બિસ્તરે સૂવા ચઢવું મકરૂહ છે. અહિંયા સુધી કે નમાઝ માટે ચઢવું પણ મકરૂહ છે.                 (‘શામી ૧)

Log in or Register to save this content for later.