[૯૧] જોડકાં જનેતા ઓરતનો નિફાસ

Chapter : તહારત

(Page : 133)

સવાલ : – કોઈ ઓરત જોડકાં બાળકોને જન્મ આપે તો નિફાસની મુદ્દત કયારથી ગણાશે ? પહેલા બાળકના જન્મ પછી ૪૦ દિવસના અથવા ત્રણ મહિનાના અંતરે બીજું બાળક જન્મે તો જનેતા ઓરતની નિફાસની મુદ્દત કયારથી શરૂ અને કયારે પૂરી થયેલી ગણાશે ?

જવાબ :–  જે ઓરત જોડકાં બાળકો જન્મે (એટલે કે એવા બે બાળકો જન્મે જેઓની પેદાઈશ વચ્ચે છ મહિનાઓથી ઓછું અંતર હોય) તેની નિફાસની મુદ્દત પહેલા બાળકના જન્મ પછી જ શરૂ થઈ ગયેલી ગણાશે, સવાલમાં લખવા મુજબ જો બીજું બાળક ૪૦ દિવસ અથવા ત્રણ મહિનાઓ પછી પેદા થાય તો જનેતા ઓરતની નિફાસની મુદ્દત પહેલાં બાળકના જન્મ પછી ૪૦ દિવસથી પહેલાં પ્રસૂતિસ્ત્રાવ (બાળકના જન્મ પછી નીકળતી રતૂબત) બંધ થતાં સુધી અને ૪૦ દિવસ પહેલાં બંધ ન થાય તો ૪૦ દિવસો પૂરા થતાં સુધી ગણાશે અને ૪૦ દિવસના અંતરે બીજા બાળકની પેદાઈશ પછી તેને જે કંઈ સ્ત્રાવ (રતૂબત) નીકળે તે બીમારી ગણાશે, નિફાસ નહિ ગણાય.  (‘શામી–૧/ ર૦૦)

Log in or Register to save this content for later.