Chapter : નમાઝ
(Page : 392-393)
સવાલ :– અમારા ઈમામ સાહેબ અસર અને ઈશાની નમાઝ પછી ટેબલ અથવા કુરસી પર બેસીને કિતાબી તાલીમ કરે છે અને મુકતદીઓ નીચે બેસી સાંભળે છે, તો આ રીત જાઈઝ છે ?
જવાબ :– ઈમામ સાહેબે કુરસી પર બેસીને તાલીમ કરવી જાઈઝ છે. હદીસ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી મસ્જિદમાં કુરસી પર બેસીને તાલીમ કરવી સાબિત છે. આ હદીસ મુસ્લિમ શરીફ ભાગ ૧ પે.નં. ર૮૭ ઉપર મવજૂદ છે.
(‘ફતાવા મહમૂદિય્યહ ૧/૪૮૮)
Log in or Register to save this content for later.