[૯૦] બે લોહી વચ્ચેના ૧પ દિવસ પાકીના ગણાશે

Chapter : તહારત

(Page : 133)

સવાલ :– એક ઓરતને મહિનામાં બે વાર લોહી આવે છે, પંદર–પંદર દિવસમાં આવી જાય છે, તો શું તે નમાઝ, રોઝહ મોકૂફ રાખે ? તેને દર પંદર–પંદર દિવસે છ દિવસ લોહી આવે છે, તો બંને વખતનું લોહી હૈઝ ગણાશે કે બીમારી ગણાશે ?

જવાબ :– જો બે લોહી વચ્ચેનું અંતર પૂરા પંદર દિવસનું હોય એટલે કે એકવાર માસિકનું લોહી વહીને બંધ થઈ ગયા પછી કમથી કમ પંદર દિવસ લગાતાર બંધ રહેતું હોય તો આ પંદર દિવસ પાકીના ગણાશે અને તેમાં નમાઝ પઢવી જરૂરી રહેશે અને તેમાં ફર્ઝ–વાજિબ–નફલ તમામ પ્રકારના રોઝા રાખી શકાશે અને આ પાકીના પંદર દિવસથી પહેલાં અને પછીના છ–છ દિવસો જેમાં લોહી વહે છે તે હૈઝના ગણાશે અને તેમાં નમાઝ પઢવી તથા રોઝહ રાખવો જાઈઝ નથી.   (‘શામી ભાગ ૧)

Log in or Register to save this content for later.