[ર૮૭] જૂની મસ્જિદ લાંબી કરે તો મિહરાબ પણ હટાવીને મધ્યમાં બનાવવો જોઈએ

Chapter : નમાઝ

(Page : 384-385)

સવાલ :– અમારા મહોલ્લાની મસ્જિદ જૂની છે જેની જમણી બાજુ મસ્જિદ જેટલી જ ખાલી જગ્યા છે. જૂની મસ્જિદ કાયમ રાખીને ખાલી જગ્યામાં બાંધકામ કરી મસ્જિદમાં વધારો કરવાનો છે, જે મસ્જિદથી લગોલગ જ છે. નવા બાંધકામ પછી પણ ઈમામ જૂની મસ્જિદના મિહરાબ પાસે ઊભા રહી ઈમામત કરશે તો નવી બાંધેલી મસ્જિદમાં ઊભા રહેનાર મુકતદીઓની નમાઝ થશે કે નહિ ?

જવાબ :– જ્યારે જૂની મસ્જિદની જમણી બાજુ મસ્જિદમાં વધારો કરવામાં આવે તો ઈમામને ઊભા રહેવાના મિહરાબની જગ્યા બદલીને જૂની–નવી બંને જગ્યાઓની કુલ લંબાઈનું મધ્યમ કાઢીને ત્યાં વચ્ચે નવેસરથી મિહરાબ બનાવવો જોઈએ. કારણકે જયારે જૂની અને નવી બંને જગ્યાઓમાં લાંબી સફ બનાવવામાં આવે અને ઈમામ જૂની મસ્જિદના મિહરાબમાં ઊભા રહે તો ઈમામ સફની એક બાજુ થઈ જશે જે મકરૂહ છે. ઈમામે ઈમામત માટે પૂરી સફની વચ્ચે ઊભા રહેવું સુન્નત છે.                                           (‘શામી ૧/૩૮ર)

Log in or Register to save this content for later.