Chapter : તહારત
(Page : 130)
સવાલ :– ઓરત હૈઝ અથવા નિફાસની હાલતમાં મસાઈલ અને ફઝાઈલની દીની કિતાબો, દરસી ગેર દરસી દા.ત. બેહિશ્તી સમર–બેહિશ્તિી ઝેવર–તબ્લીગી નિસાબ તેમજ બીજી દીની કિતાબો પકડીને પઢી શકે છે કે નહિ ? જવાબ :– ઓરત હૈઝ અને નિફાસની હાલતમાં મસાઈલ અને ફઝાઈલની દીની કિતાબો પકડી શકે છે અને પઢી પણ શકે છે, પરંતુ જે પાના ઉપર કુર્આન શરીફની આયત લખેલી હોય તેટલી જગ્યાને હાથ ન લગાડે અને કુર્આન શરીફની કોઈ આયત તિલાવતની નિય્યતથી પઢે પણ નહિ.
બાકી કુર્આન શરીફ કોઈ એવા કપડાની આડ સિવાય પકડવું જાઈઝ નથી જે કપડું કુર્આન સાથે ચોંટેલું અને લાગેલું ન હોય અને પકડનારે પહેરેલું પણ ન હોય અને તફસીરની કોઈ કિતાબને પણ મઝકૂર પ્રકારના કપડાની આડ વગર હાથ ન લગાડવો જોઈએ, કપડા વગર હાથ લગાડવો મકરૂહ છે, અને બેહતર એ છે કે કોઈ પણ દીની કિતાબને હૈઝ અથવા નિફાસની હાલતમાં કપડાની આડ વગર હાથ લગાડવામાં ન આવે. (‘દુર્રે મુખ્તાર શામી ૧/૧૧૮,૧૯પ)
Log in or Register to save this content for later.