Chapter : નમાઝ
(Page : 380-381)
સવાલ :– અમારે ત્યાં ઈમામ સાહેબ ફર્ઝ નમાઝ બાદ દુઆ કરે છે તેમાં શરૂઆતના અને દુઆ ખતમ થયાના શબ્દો સંભળાય છે. દુઆના પૂરેપૂરા શબ્દો મુકતદીઓને સંભળાતા નથી જેથી મુકતદીઓએ આમીન કયારે કહેવું તે સમજ પડતી નથી. તો ઈમામ સાહેબની દુઆમાં આમીન કહેવું ઝરૂરી છે કે કેમ? અને ઈમામ સાહેબ મુકતદીઓના મજ્મઅ્ માટે દુઆ કરતા હોય તો અવાઝથી દુઆ પઢવી કેવું છે, ખાસ કરીને ફજર અસરની નમાઝ બાદ આ પ્રમાણે થાય છે અને ઈમામની દુઆના શબ્દો ન સંભળાય તો કેટલાક મુકતદીઓ પોત પોતે દુઆ માંગી લેતા હોય છે તો આ રીતે દુઆ માંગી લે તો ચાલે કે કેમ?
જવાબ :– ઈમામ સાહેબે જોરથી દુઆ કરવી ઝરૂરી નથી, બલ્કે આહિસ્તા દુઆ માંગવી અફઝલ અને બેહતર છે અને મુકતદીઓએ ઈમામની દુઆ પર આમીન કહેવું ઝરૂરી નથી. જો પહેલી સફમાં ઈમામ સાહેબની નજીકના મુકતદીઓ ઈમામ સાહેબની દુઆ પર આમીન કેહવા ચાહે તો કહી શકે છે અને પોતે પોતાની દુઆ પણ માંગી શકે છે અને જે મુકતદીઓને ઈમામની દુઆ ન સંભળાતી હોય તેઓએ પોતાની દુઆ માંગવી જાઈઝ છે, બલ્કે માંગવી જ જોઈએ.
(ઈમ.ફતાવા–૧, અહ.ફતાવા)
Log in or Register to save this content for later.