Chapter : તહારત
(Page : 129)
સવાલ : એક માણસે આંખોનું ઓપરેશન કરાવ્યું છે અને ડોક્ટરે તેને આંખો ઉપર પાણીના ઉપયોગથી મના કરેલ છે, તો મજકૂર માણસ હદસે અસગર અને હદસે અકબરથી પાકી કેવી રીતે હાસિલ કરશે, એટલે કે વુઝૂ અને ગુસલ કેવી રીતે કરશે ?
જવાબ :– જો મુસ્લિમ માહિર તબીબનું એવું સૂચન હોય કે આંખને પાણી ન લાગવું જોઈએ અથવા ગેર મુસ્લિમ તબીબની સલાહથી આંખને પાણીથી નુકસાન થવાનો પોતાને ગાલિબ ગુમાન હોય અને વુઝૂ તથા ગુસલમાં આંખની આસપાસનો ભાગ ધોઈ શકાતો હોય તો આંખને પાણી ન લાગે એ રીતે આસપાસનો ચહેરો ધોઈ લેવો જોઈએ અને જો ધોવાથી નુકસાનનો ભય હોય તો આસપાસના ભાગનો લીલા હાથથી મસહ કરી લેવામાં આવે અને મસહ કરવો પણ નુકસાનકર્તા હોય તો આંખની આસપાસનો ભાગ ધોયા અને મસહ કર્યા વગર કોરો છોડી શકાય છે.
વુઝૂમાં માથાના આગળના ભાગનો મસહ છોડી આજુબાજુ અને પાછળના ભાગનો મસહ કરવો જોઈએ અને ફર્ઝ ગુસલમાં માથાના જેટલા ભાગને ધોવું શક્ય હોય તે ધોવામાં આવે, અને ધોવું નુકસાનકર્તા હોય તો મસહ કરવામાં આવે અને પાણીથી માથાનો મસહ કરવો પણ નુકસાનકર્તા હોય તો મસહ પણ છોડી શકાય છે. (તહતાવી કમ મરાફી ૭૪/બદાઈઅ્ ભાગ ૧/૯૦, શામી ભા. ૧/૧૮૬)
Log in or Register to save this content for later.