[ર૭૯ ] નમાઝ પછીની દુઆમાં દુરૂદ શરીફ

Chapter : નમાઝ

(Page : 377)

સવાલ :– ઝોહર–મગરિબ, ઈશાની બા–જમાઅત નમાઝ બાદ જે દુઆ માંગવામાં આવે છે તેને દુરૂદ સહિત માંગવી કે દુરૂદ વગર ? ઈમામ સા. ફકત અલ્લાહુમ્મ અન્તસ્સલામ…. દુઆ પઢે છે. દુરૂદ શરીફ પઢતા નથી. અમુક મુકતદીઓનો આગ્રહ છે કે દુરૂદ સહિત દુઆ માંગવી અને તે દલીલ આપે છે કે જે દુઆ દુરૂદ વગર કરાય છે તે કબૂલ થતી નથી તો આપ એનો સહીહ તરીકો બતલાવશો.

જવાબ :– દુઆ કરતી વખતે દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે, વાજિબ અને ઝરૂરી નથી. ચાહે તે નમાઝ પછીની દુઆ હોય અથવા નમાઝ સિવાયની અન્ય કોઈ દુઆ હોય. માટે ઈમામ સા. અગર નમાઝ પછી હદીસ શરીફથી સાબિત ફકત અલ્લાહુમ્મ અન્ત….ના શબ્દોથી દુઆ કરે તો વાંધો નથી.                     (શામી, ભાગ–૧/ર૪૮)

Log in or Register to save this content for later.