[ર૭૩ ] સજદહમાં દુઆ

Chapter : નમાઝ

(Page : 371)

સવાલ :– સજદહમાં જઈ દુઆ કરવી દુરુસ્ત છે ? મસ્જિદમાં કે અન્ય સ્થળે લોકોની મવજૂદગીમાં આ રીતે દુઆ કરી શકાય ? સજદહમાં દુઆ માંગતા હાથ કેમ રાખવા ?

જવાબ :– નફલ નમાઝના સજદહમાં એવી દુઆ કરવી જે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મનકૂલ હોય જાઈઝ છે. એવી જ રીતે જે દુઆમાં કોઈ એવી વસ્તુ ન માંગવામાં આવે, જેને બંદાઓ પરસ્પર એકબીજાથી પણ માંગતા હોય તેવી દુઆ કરવી પણ જાઈઝ છે. ફર્ઝ નમાઝના સજદહમાં દુઆ ન કરવામાં આવે, ફકત તસ્બીહ જ પઢવામાં આવે. ખાસ દુઆ માટે વગર નમાઝે સજદહ કરવાની કોઈ ફઝીલત નથી. એવા સજદહના મકરૂહ, ગેરમકરૂહ હોવામાં ઉલમાએ કિરામનો મતભેદ છે. ચાહે દુઆ માટે સજદહ કરવો જાઈઝ છે, પરંતુ ફર્ઝ, વાજિબ નમાઝો પછી દુઆ માટે સજદહ કરવો નાજાઈઝ છે, કારણ કે બીજા અભણ લોકો જોઈને–નમાઝ પછી એવો સજદહ કરવાને વાજિબ–સુન્નત સમજી લેશે. માટે આમ અભણ લોકોની રૂબરૂ એવો સજદહ કરવો મકરૂહ છે. દુઆના સજદહમાં હાથ રાખવાનો કોઈ અલગ તરીકો નથી. નમાઝના સજદહ જેમ જ હાથ જમીન ઉપર મુકવામાં આવશે.        (શામી : ૩૪૦/પર૪, ભાગ–૧)

Log in or Register to save this content for later.