Chapter : નમાઝ
(Page : 370)
સવાલ :– દારુલ ઉલૂમમાં આવતી દુઆઓમાં કેટલીક દુઆઓ બાબત પચ્ચીસ વખત, સત્તાવીસ, ચાળીસ વખત એમ સંખ્યા જણાવવામાં આવે છે તો તે સંખ્યાને ધ્યાનમાં લીધા સિવાય એક તસ્બીહ (૧૦૦ વાર) પઢીએ તો કોઈ ગુનોહ છે ?
જવાબ :– જે દુઆ કે ઝિક્રનું કોઈ ચોક્કસ સંખ્યામાં પઢવુ હદીસ શરીફથી સાબિત છે તે સંખ્યા ઉપર જાણીબુઝીને વધારો કરવો અમુક આલિમો મકરૂહ લખે છે, કારણ કે જેમ દવાનો ઉપયોગ તેના ચોક્કસ પ્રમાણથી વધુ કરવામાં આવે અથવા કોઈ તાળાની ચાવીના દાંતાઓ જરૂરતથી વધારે બનાવવામાં આવે તો જોઈતો હેતુ પાર પડતો નથી, બલ્કે ઉલટું નુકસાન થવાનો ભય રહે છે. તેમ દુઆ ઝિક્રનો પણ હાલ છે. અમુક આલિમો જાઈઝ પણ બતાવે છે, પરંતુ પહેલું મંતવ્ય અમલપાત્ર છે. (શામી : ૩પ૬, ભાગ–૧)
Log in or Register to save this content for later.