Chapter : નમાઝ
(Page : 367-368)
સવાલ :– હમારી મસ્જિદના ઈમામ સાહેબ નમાઝ પછીના ફાતિહામાં આખરી જુમ્લો જે સુબ્હાન રબ્બિક રબ્બિલ્ ઈઝ્ઝતિ અમ્મા યસિફૂન ના બદલે સુબ્હાનક રબ્બિક પઢે છે. ટૂંકમાં (ક) વધારાનું ઉમેરે છે, તો શું તેનાથી અર્થમાં કોઈ ફરક પડતો નથી ? અને (ક) સાથે પણ પઢી શકાય છે કે (ક) ન પઢવો જોઈએ ?
જવાબ :– મજકૂર દુઆ છેવટમાં પઢવામાં આવતી કુર્આન મજીદની સૂરએ સાફ્ફાતની આખરી ત્રણ આયતો પૈકી એક છે. દરેક મઝમૂન અને મજલિસ અને તકરીરની સમાપ્તિ વખતે તેને પઢવાની ફઝીલત આવેલી છે. તેમાં સુબ્હાન પછી (ક) વધારી સુબ્હાનક પઢવાથી આયતના શબ્દો અને અર્થ બન્નેમાં ફેરફાર થઈ જાય છે, માટે મજકૂર ફેરફારથી બચવું ઝરૂરી છે. (મ. કુર્આન : ૭/૪૮૮)
Log in or Register to save this content for later.