Chapter : નમાઝ
(Page : 366)
સવાલ :– હદીસોમાં તસ્બીહે ફાતિમહ, આયતુલ કુર્સી તેમજ બીજા વિર્દની તરગીબ આપવામાં આવી છે તો શું આ બધા વિર્દો ફર્ઝ નમાઝની સલામ પછી તરત પઢે કે તે વખતની બધી સુન્નત–નફલ રકઅતો પઢયા પછી, શું મુરાદ છે ?
જવાબ :– અફઝલ તરીકો એ છે કે જે ફર્ઝ નમાઝ બાદ સુન્નતો છે તેવી ફર્ઝ નમાઝ પછી ફકત અલ્લાહુમ્મ અન્તસ્સલામ…..ના પ્રમાણમાં ટૂંકી દુઆ કરી સુન્નતો પઢવામાં આવે અને તસ્બીહ, આયતુલ કુર્સી, મુઅવ્વિઝાત (ત્રણ કુલ) વગેરે સુન્નતો બાદ પઢવામાં આવે. મજકૂર વિર્દો સુન્નતોથી પહેલાં પઢવાને અમુક આલિમો મકરૂહ લખે છે.
(શામી : ૧/૩પ૬, કબીરી : ૩૪ર)
Log in or Register to save this content for later.