[રપ૬] મસબૂક ઈમામના અખીરી કઅ્‌દહમાં દુરૂદ –દુઆ ન પઢે

Chapter : નમાઝ

(Page : 320)

સવાલઃ– ઈમામ અને શરૂ નમાઝથી શરીક નમાઝીઓ છેલ્લા (અખીરી) કઅ્‌દહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢીને સલામ કહી નમાઝ પૂરી કરે છે અને મસબૂક નમાઝી (જેની અમુક રકઅતો છુટી હોય તેના) માટે તો આ છેલ્લો કઅ્‌દહ નથી, તેની અમુક રકઅતો તો ઈમામની સલામ વખતે બાકી હોય છે,  તો શું મસબૂકે પણ ઈમામની સાથે તશહહુદ , દરૂદ અને દુઆ પઢવાની કે નહિ?

જવાબ :– મસબૂક નમાઝી ઈમામ સાથે છેલ્લા કઅ્‌દહમાં માત્ર અત્તહિય્યાત જ પઢશે, દુરૂદ શરીફ અને દુઆ નહિ પઢે, ચાહે  અત્તહિય્યાત આદત મુજબ પઢીને બાકીના વખતમાં અશ્હદુ  અલ્લાઈલાહ ઈલ્લલ્લાહુ ઈમામની સલામ સુધી વારંવાર પઢતો રહે અથવા અત્તહિય્યાત એટલી ધીમી ગતિએ પઢે કે ઈમામની સલામથી પહેલાં પહેલાં તે પૂરૂં થાય.   (આલમગીરી ભા.૧/૯૧,શામી૧/૩૪૩)

Log in or Register to save this content for later.