Chapter : નમાઝ
(Page : 319-320)
સવાલઃ– વાજિબ ઈઆદહ વાળી ફર્ઝ નમાઝની બીજી જમાઅતમાં એવો નવો નમાઝી શામેલ થઈ શકે ? જે પહેલી જમાઅતમાં શામેલ ન હતો.
જવાબઃ– વાજિબ ઈઆદહ વાળી ફર્ઝ નમાઝની બીજી જમાઅતમાં નવો નમાઝી ફર્ઝ નમાઝ પઢવાની નિય્યયતથી શામેલ ન થઈ શકે, કારણકે બીજી જમાઅતમાં ઈમામની નમાઝ અસલ ફર્ઝ નથી, બલ્કે અસલ ફર્ઝ નમાઝના નુકસાનની તલાફી અને પુર્તિ છે અને મુકતદી બનીને ફર્ઝ નમાઝની અદાયગીના સહીહ થવા માટે ઈમામની નમાઝનું પણ ફર્ઝ હોવું ઝરૂરી છે. (શામી – ભા.૧/૩૦૭)
Log in or Register to save this content for later.