Chapter : તહારત
(Page : 122)
સવાલ : –એક ઓરત (દિમાગ ખસી જવાથી) કૂવામાં પડી મરી ગઈ, તેને દસ મિનિટ પછી કાઢી, હવે આ કૂવો કઈ રીતે પાક કરવો ? કારણકે કૂવાનું પાણી ઓછું થતું નથી અને વધતું જ જાય છે, એને પાક કરવા માટે શું તરીકો અપનાવવો ?
જવાબ :– જે કૂવાનું બધુ પાણી મશીન અથવા ડોલથી ન નીકળી શકતું હોય, કારણ કે કૂવાના ઝરણાઓમાંથી પાણીની આવક ખૂબ વધારે છે તો જોવામાં આવશે કે કૂવાના પાણીવાળા વર્તુળનું માપ પ૪ ફૂટ છે કે તેથી ઓછું છે, જો પ૪ ફૂટ કે તેથી વધુ હોય તો ઓરત અંદર પડી મરી જવાથી કૂવાનું પાણી નાપાક નહિં થાય, જ્યાં સુધી કે પાણીમાં મુડદાના શરીરની દુર્ગંધ પેદા ન થાય અને જો પ૪ ફૂટથી ઓછું હોય તો કૂવો નાપાક થઈ જશે અને બધુ પાણી કાઢવાની તકલીફ હોવાથી પાક કરવાનો પ્રથમ તરીકો એ છે કે ઓરત પડીને મરતી વખતે જેટલા ફૂટ ઉંડાઈમાં પાણી હતું તેટલું પાણી મશીન અથવા ડોલથી કાઢી લેવામાં આવે, જેનો તરીકો એ છે કે મશીન હોય તો એક કલાક કે અડધો કલાક મશીન ચલાવી અને ડોલોથી પાણી કાઢવાનું હોય તો લગાતાર સો ડોલો પાણી કાઢી નક્કી કરવામાં આવે કે કેટલું પાણી ઓછું થાય છે અને પછી તે હિસાબે જેટલા ફૂટ પાણી હતું તેટલું કાઢી લેવામાં આવે, કૂવો પાક થઈ જશે. જો આ પ્રમાણે હિસાબ કરવો અને પાણી કાઢવું મુશ્કેલ હોય તો ત્રણ સો ડોલ પાણી કાઢવાથી કૂવો પાક થઈ જશે. (શામી–૧/૧૩૧/૧૪૩)
Log in or Register to save this content for later.