Chapter : તહારત
(Page : 121)
સવાલ : – અમારે ત્યાં બહુ મોટી પણ નહિ અને બહુ નાની પણ નહિ, એવી સાધારણ પાણી ભરવાની ટાંકી છે, તેના પર રોજ રાત્રે મરઘીઓ બેસે છે અને તેના ઉપર જ મરઘીઓ પોતાનું મેલ પાડી ગંદકી કરે છે. ટાંકી ઉપર ઢાંકણ હોવાથી મેલુ અંદર પડે છે કે નહિ તે નક્કી કહી શકાય તેમ નથી, એમ સમજો ૬૦% હા કહી શકાય. તો તે ટાંકીનું પાણી પાક કહી શકાય ? તે પાણીથી ઈસ્તિન્જો કે ગુસલ કરી શકાય ? અમારા ઘરથી ફક્ત પ૦ ફૂટ જ દૂર વહેતા પાક પાણીની નદી છે, તો અમારે ગુસલ નદી પર જઈ કરવું કે ટાંકીના પાણીથી ગુસલ થઈ શકે ? ટાંકી એટલી મોટી નથી કે જેમાં નાપાકી પડવાં છતાં પાણી પાક રહે, આગળ એ ટાંકીના પાણીથી જ અમોએ ગુસલ કરી નમાઝ પઢી હતી તો અમારી નમાઝ થઈ કે નહિ ?
જવાબ :– મરઘીની હગાર નાપાક છે અને તે નાની ટાંકીમાં થોડા પ્રમાણમાં પડે તો પણ પાણી નાપાક થઈ જાય છે, પરંતુ મજકૂર ટાંકીમાં મરઘીની હગાર પડવાની માત્ર શક્યતા અને સંભાવના છે, એ વાતનો ગાલિબ ગુમાન અને પાકો વિશ્વાસ નથી કે તેમાં હગાર પડી જ છે, માટે માત્ર આવી શંકા અને શક્યતાના આધારે ટાંકીનું પાણી નાપાક નહિ ગણાય અને તે પાણીથી વુઝૂ–ગુસલ કરવું જાઈઝ છે અને એ પાણીથી ગુસલ કરી જે નમાઝો પઢી છે તે પણ દુરુસ્ત ગણાશે. અલબત્ત, ટાંકીનું ઢાંકણ બરાબર કાળજીપૂર્વક બંધ રાખવું જોઈએ, જેથી આવી શંકા ઉભી ન થાય. (અશ્બાહ : પ૭/૭૩, શામી –૧/૧૦ર)
Log in or Register to save this content for later.