Chapter : નમાઝ
(Page : 316-317)
સવાલઃ– અગર જબાનને હલાવ્યા વગર (તલફ્ફુજ વગર) નમાઝ શરૂથી અંત સુધી પઢવાથી નમાઝ અદા થઈ જાય કે નહિ?
મે મારી ૪ થી પ વર્ષની નમાઝ તકબીરે તહરીમાથી સલામ સુધીમાં માત્ર મનોમન જ કુર્આન અને અલ્લાહુ અકબર કહીને અદા કરી છે અગર કોઈ એક મસલક આ રીતે નમાઝ અદા થઈ જવાને ઈજાઝત આપે છે તો શું હું જીવન માં છૂટેલી તલફ્ફૂજ વગરની ૪ થી પ વર્ષની નમાઝ અગર ઉપરોકત ત્રણ મસલકો પૈકી એક મસલક ઈજાઝત આપતો હોય તો હું એ છૂટેલી નમાઝો અદા નહિં કરૂં તો ચાલશે કે કેમ? આ નમાઝો અદા કરવી બહુ જ ભારે લાગે છે. જો કે હાલમાં હું નમાઝો બિલકુલ તલફ્ફુજ સાથે અદા કરૂં છું મને શરીઅતની રોશની માં ખુલાશો આપશો.
જવાબઃ– નમાઝની કિરાઅતના મસ્અલહમાં અમલ માન્ય સહીહ મંતવ્ય મુજબ અવાજ સાથે અક્ષરોનો ઉચ્ચાર કરવો ઝરૂરી છે. તો જ કિરાઅત કરેલી અને તકબીરે તહરીમા કહેલી ગણાશે અને આ મસ્અલહમાં હનફીએ હનફી મસ્અલહની પેરવી ઝરૂરી છે, જો ફર્ઝ અને વાજિબ નમાઝોમાં અવાજ સાથે અક્ષરોનો સહીહ ઉચ્ચાર ન કર્યો હોય તો શકય હોય તેવી નમાઝોની કઝા કરવી ઝરૂરી છે, જે નમાઝોમાં તકબીરે તહરીમા અને કિરાઅતના અક્ષરોનો સહીહ ઉચ્ચાર તો કર્યો એટલે જબાન હુરૂફ અદા કરવાની જગ્યાઓને હરકત આપી, પણ અવાજ કાઢયા વિના ઉચ્ચાર કર્યો તો કઝા કરતાં જે બાકી રહી જશે તેને અમુક હનફી ઉલમાઅના મંતવ્ય મુજબ સહીહ ગણવામાં આવશે. તો પણ એહતિયાત રૂપે બાકી રહેલી નમાઝોમાં અવાજ સાથે કે અવાજ વગર તકબીરે તહરીમા અને કિરાઅત મનોમન (મનમાં) પઢી છે તે મોઅતબર નહિ ગણાય, તેની કઝા ઝરૂરી છે અને કોઈ ઈમામ મુજતહિદે અક્ષરોના સહીહ ઉચ્ચાર વગર કિરાઅત ને જાઈઝ ઠરાવેલ નથી. (શામી ૧/૩પ૯, ફિકહ અલલ મઝાહિબ–ભા. ૧)
Log in or Register to save this content for later.