Chapter : તહારત
(Page : 118-119-120)
સવાલ :– અમારી મસ્જિદે રહમાનિય્યહના હોઝનો નકશો નીચે પ્રમાણે છે
હોજનો કુલ એરિયો ર૭॥ × ૧૪। ફૂટ એટલે કે ૩૯૧ ચો. ફૂટ છે, આ હોજનો અમુક ભાગ ધાબા નીચે તથા અમુક ભાગ ખુલ્લો છે, નકશામાં દર્શાવેલ સીટોવાળો ભાગ ધાબા નીચે આવેલ છે. આ ભાગના પાણીની સપાટી ધાબાને અડીને એવી રીતે રહે છે કે પાણીની સપાટી અને છત વચ્ચે કંઈ પણ અંતર નથી તથા હવા પણ મળતી નથી, વુઝૂ કરવા માટે પાણીનો ઉપયોગ ખુલ્લા ભાગમાંથી થાય છે, જેનો વિસ્તાર ૧૯ × ૮ ફૂટ એટલે કે ૧૪૦ ચો. ફૂટ છે. ઉપર દર્શાવેલ નકશા તથા વિગત પ્રમાણે હોજ દહ દર દહ શુમાર કરવામાં આવશે કે કેમ ?
નોંધ :– ‘કિફાયતુલ મુફતી’માં છે કે હોજનો રકબો રરપ ફૂટ પાણીનો હોવો જોઈએ તથા ‘ફતાવા રહીમિય્યહ’ ભાગ–૪ માં ગોળ હોજ ૩૬ ગજ અને ‘ઈસ્લામી તાલીમ’ નામની કિતાબમાં ગોળ હોજ પ૪ ફૂટ હોવો જોઈએ તેમ દર્શાવેલ છે, તો અમારા બતાવેલ નકશા મુજબ અમારા હોજને ગોળ શુમાર કરવો કે કેમ ? ગોળ શુમાર ન થાય તો લંબગોળ માટે શું હિસાબ લગાવવો ?
જવાબ :– મજકૂર હોઝના બે ભાગ છે, એક ધાબા અને ખુલ્લી જગ્યાની નીચેનો ભાગ અને બીજો ધાબાના સ્લેબથી ઘેરાયેલો ખુલ્લો ભાગ જે લંબગોળ છે. નીચેના ભાગનો હોઝ દહ દર દહ ગણવામાં આવશે, જેનો કુલ એરિયો રપ૧ ચો. ફૂટ છે અને સ્લેબથી ઘેરાયેલો ઉપરનો ખુલ્લો ભાગ દહ દર દહથી નાનો ગણવામાં આવશે, કારણ કે તેનું કુલ ક્ષેત્રફળ ફક્ત ૧૪૦ ચો. ફૂટ છે અને દહ દર દહ હોઝ માટે કમથી કમ રરપ ચો. ફૂટ ક્ષેત્રફળ હોવું જરૂરી છે.
ખુલાસો એ કે હોઝના ખુલ્લા ભાગનું પાણી જો ધાબાના સ્લેબથી ઘેરાયેલું રહેતું હોય તો તે નાના હોઝનું પાણી ગણાશે. થોડી નાપાકી પડવાથી નાપાક થઈ જશે અને સ્લેબથી નીચેના ભાગનું પાણી મોટા હોઝનું પાણી ગણાશે, જે માત્ર થોડી નાપાકી પડવાથી નાપાક નહિ થાય.
ولوجمد ماؤہ فثقب إن الماء منفصلاً عن الجمد جاز لانّہ کالمسقف وان متصلا لا، لانہ کالقصعۃ حتی لو ولغ فیہ کلب تنجس لا لو وقع فیہ فمات لتسفلہ (درمختار) (قولہ منفصلاً عن الجمد) أی متسفلا عنہ غیر متصل بہ بحیث لو حرک تحرک (قولہ تنجس) ای موضع الثقب دون المتسفل فلو ثقب فی موضع آخر وأخذ الماء منہ وتوضأ جاز کما فی التاترخانیۃ (شامی) (قولہ وإن متصلا لا) یعنی ان کان الماء متصلا بالجمد صار ہذا کما فی قصعۃ فینجس بقلیل النجاسات
(طحطاوی) درمختار مع الشامی صــ : ۱۳۰)
મજકૂર હોઝનો સ્લેબથી નીચેનો ભાગ લંબચોરસ ગણવામાં આવશે અને સ્લેબથી ઘેરાયેલો ભાગ લંબગોળ ગણવામાં આવશે અને લંબગોળ હોઝનું ”દહ દર દહ”નું માપ સમગોળ પ્રમાણે જ નક્કી કરવામાં આવશે, એટલે કે તેના વર્તુળનો ઘેરાવો (પરિઘ) પ૪ ફૂટ હોવો જોઈએ, જે શરઈ ગજ પ્રમાણે ૩૬ ગજ થાય છે, કારણ કે એક શરઈ ગજ દોઢ ફૂટ (૧૮ ઇંચ) બરાબર હોય છે અને સમગોળ અથવા લંબગોળ હોઝનો ઘેરાવો જ્યારે પ૪ ફૂટ હોય તો તેનો રકબો અને ક્ષેત્રફળ રરપ ફૂટ થઈ જાય છે.
المراد من اعتبار العشر فی العشر مایکون وجھہ مائۃ ذراع سواء کان مربعاً وھو ما یکون کل جانب من جوانبہ عشرۃ وحول الماء أربعون، ووجھہ مائۃ ، أوکان مدوراً أو مثلثا؛ فإن کلا من المدور والمثلث إذا کان علی الوصف الذی ذکر ہ الشارح یکون وجھہ مأۃ، وإذا ربع یکون عشراً فی عشر ، فافھم (رد المحتار صـ : ۱۲۹ اول نعمانیۃ)
Log in or Register to save this content for later.