Chapter : તહારત
(Page : 117)
સવાલ :– અમારે ત્યાં હાલ મસ્જિદમાં કુવારી ખોદી છે, જે દહ દર દહ (૧૦ × ૧૦) ના પ્રમાણમાં નથી. હાલમાં કુવારીનું કામ ચાલુ છે, મજૂરો આજુબાજુ મેદાનમાં ફરે છે, તેમજ સિમેન્ટ, રેતી વિગેરે તેમાં પડે છે, મજૂરો ખુલ્લા પગે ગમે ત્યાં ફરી એ જ કુવારીમાં ઉતરી કામ કરે છે, પાકી–નાપાકીનો કોઈ ખ્યાલ રાખતા નથી, તેવી કુવારીના ઝરણાના પાણીથી વુઝૂ કરી નમાઝ પઢવી જાઈઝ છે ? કે પછી કુવારી તૈયાર થઈ ગયા પછી કીચડ, પાણી કાઢી નાંખી નમાઝ પઢવી ? એ કુવારીના પાણીથી વુઝૂ કરી પઢેલી નમાઝો લોટાવવી પડશે કે નહિં?
જવાબ :– જ્યાં સુધી એ વાતનો સંપૂર્ણ વિશ્વાસ અને યકીન ન હોય કે કૂવામાં ઉતરનાર મજૂરોના પગો ઉપર કે શરીરના બીજા કોઈ ભાગ ઉપર અથવા તેઓના કપડા ઉપર કોઈ નાપાકી લાગેલી હોવાથી તે નાપાક હતો અને શરીરનો અથવા કપડાનો તે નાપાકીવાળો ભાગ કુવારીના પાણીમાં ગયો હતો ત્યાં સુધી કુવારીના પાણીને નાપાક નહિં કહેવાય, ફક્ત એવી શક્યતાથી કે કદાચ તેઓના શરીર અથવા કપડા ઉપર કોઈ નાપાકી લાગી પણ હોય તે પાણી નાપાક નહિં ગણાય અને એ બુનિયાદ ઉપર કુવારીના પાણીના વુઝૂથી પઢેલી નમાઝો લોટાવવાની જરૂરત પણ નથી. (શામી, ભાગ–૧/૧૩પ/૧૪૧)
Log in or Register to save this content for later.