[ર૪પ] હાથ જમીન પર મૂકી સૂતરો બનાવવો

Chapter : નમાઝ

(Page : 311-312)

સવાલ :– નમાઝી માણસના આગળથી હાથ રાખી / જમીન પર મૂકી પસાર થવુ કેવું છે ? શું હાથ જમીન પર મૂકવાને શરઈ દ્રષ્ટિએ આડ સમજવામાં આવશે કે નહિં?

જવાબ :– મુસલ્લીની સામેથી પસાર થવા માટે કોઈ આડ અને સુતરો હોવો જોઈએ અને તે આડ નમાઝીના બદનથી અલગ કોઈ એવી વસ્તુ હોવી જોઈએ જે એક હાથ એટલે કે દોઢ ફૂટ લાંબી હોય અને હાથની આંગળી બરાબર જાડી હોય, ચાહે તે કોઈ સજીવ જાનવર હોય કે કોઈ માણસ હોય અથવા લાકડી, લોખંડ વિગેરે જેવી કોઈ નિર્જીવ વસ્તુ હોય અને આવી આડ નમાઝીઓએ પોતે મૂકી હોય કે પસાર થતી વખતે પસાર થનારે પોતે તે આડ બનાવી હોય અથવા નમાઝી અને પસાર થનાર સિવાય ત્રીજા કોઈ માણસે તે આડ બનાવી હોય તો પણ તે આડ પસાર થનાર માટે ગુનાહથી બચાવ માટે પુરતી ગણાશે.

               માટે જો કોઈ નમાઝીથી આગળ બેસેલો માણસ નમાઝીની સામે પોતાનો હાથ એ રીતે જમીન પર સીધો રાખે કે હાથની આંગળીઓ પણ સીધી રહે તો આ સૂરતમાં તેનો હાથ જાઈઝ આડ અને સુતરો ગણાશે અને ત્રીજો માણસ તેની આગળથી પસાર થાય એ જાઈઝ ગણાશે. (શામી – ૧ / ૪ર૮)

Log in or Register to save this content for later.