Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 97 to 107)
- અલ્લાહ તઆલાએ પોતાના પયગમ્બરોને પોતાના અહકામ લઈન જગતવાસીઓ તરફ મોકલ્યા.
કુર્આન શરીફમાં છે : હે આદમના પૂત્રો ! જો તમારી પાસે તમારામાંથી એવા રસૂલો આવે જેઓ તમને મારી આયતો સંભળાવે (તો તેમને માની લેજો). (સૂરએ અઅ્રાફ : ૩પ) હે મારી કૌમ ! મારામાં જરા પણ મૂર્ખાઈ નથી, પરંતુ હું તો સમગ્ર જગતના પરવરદિગારનો (મોકલેલો) રસૂલ છું, પોતાના પરવરદિગારના સંદેશા (અને હુકમો) તમને પહોંચાડું છું. (સૂરએ અઅ્રાફ : ૬૭-૬૮) તે વખતે હઝરત શુઐબ (અલૈ.)એ તે લોકોથી મોં ફેરવ્યું અને બોલ્યા કે, હે મારી કૌમ ! મેં તમને મારા પરવરદિગારના હુકમો પહોંચાડ્યા અને તમારી ઘણી ખૈરખ્વાહી કરી. (સૂરએ અઅ્રાફ : ૯૩)
- નબીઓને અલ્લાહ તઆલાએ મહાન હિકમત અને રહમત સાથે મોકલ્યા છે.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : અને અલ્લાહપાકના જે ઉપકાર તમારા ઉપર છે તેને યાદ કરો. (ખાસ કરીને) કિતાબ તથા હિકમતની વાતો, જેને અલ્લાહપાકે તમારા ઉપર ઉતારી કે તે વડે તમને બોધ આપે (તેને પણ યાદ કરો). અને અલ્લાહપાકે દાવૂદ (અલૈ.)ને બાદશાહી તથા હિકમત આપી અને બીજું પણ જે ચાહ્યું તે તેમને શીખવ્યું. (સૂરએ બકરહ : ર૩૧, રપ૧) અને આપને (તમામ જગત માટે રહમત બનાવી મોકલ્યા છે. (સૂરએ અંબિયા : ૧૦૭)
જગતમાં નબીઓનું આગમન અલ્લાહપાકની મહાન નેઅમત અને અપાર રહમત છે.
જેમકે હઝરત મૂસા (અલૈ.)એ પોતાની કૌમને અલ્લાહપાકનો એ ઉપકાર વર્ણવતાં ફરમાવ્યું કે, અને (તે વખત વર્ણનને પાત્ર છે) જ્યારે હઝ. મૂસા (અલૈ.)એ પોતાની કૌમને કહ્યું કે, હે મારી કૌમ ! તમારા ઉપર અલ્લાહ તઆલાના જે ઉપકાર છે, તેને યાદ કરો. જ્યારે કે તેણે તમારામાં અનેક નબીઓ પેદા કર્યા અને તમને બાદશાહ બનાવી દીધા. (માઈદહ : ર૦)
- માનવ માર્ગદર્શન માટે દુનિયામાં અનેક આદરણીય નબીઓ આવી ચૂક્યા છે. જેમની ચોક્કસ સંખ્યા કોઈ જાણતું નથી.
અલ્લાહ તઆલા ફરમાવે છે : અને દરેક કૌમ માટે જુદા-જુદ માર્ગદર્શક થતા આવ્યા છે. (સૂરએ રઅદ : ૭)
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે નબીઓ (અલૈ.)નો, તેમની કૌમોમાં પ્રચાર (દઅવત) વગેરેનો ઉલ્લેખ કર્યો છે કે, તેઓએ પોતાની ઉમ્મતોને સંપૂર્ણ જવાબદારી સાથે હુકમો પહોંચાડ્યા અને માનવ માર્ગદર્શન કર્યું. એમાંથી એક દજ્જાલ વિશે પ્રકાશ પાડતાં ફરમાવ્યું કે, અલ્લાહપાકે જેટલા પણ નબીઓ મોકલ્યા છે, તે સર્વેએ પોતાની ઉમ્મતને તે (દજ્જાલ)થી ચેતવી (ડરાવી) છે. નૂહ (અલૈ.)એ પણ પોતાની ઉમ્મતને ચેતવી અને તેમની પછીના બધા નબીઓએ પણ. (બુખારી શરીફ, કિતાબુલ મગાઝી, હજ્જતુલ વદાઅનો બાબ, હદીષ નં.૪૪૦ર)
ઉપરોક્ત હદીષમાં માનવ માર્ગદર્શનનો એક અંશ વર્ણવ્યો છે, પરંતુ નબીઓની સંખ્યા દર્શાવી નથી.
- સર્વે નબીઓ અને રસૂલો પર ઈમાન લાવવું જરૂરી છે.
અલ્લાહપાક ફરમાવે છે : પરંતુ મહાન નેકી એ છે કે, જે કોઈ અલ્લાહ તઆલા પર અને છેલ્લા દિવસ (આવવા) પર અને ફરિશ્તાઓ ની હસ્તી) પર અને (સર્વ આકાશી) કિતાબો પર અને (સઘળા) પયગમ્બરો પર ઈમાન લાવે. (સૂરએ બકરહ : ૧૭૭)
હઝરત શહ્ર બિન હવશબ (રહ.) એક સહાબી (આમિર, અબૂ આમિર અશ્અરી અથવા અબૂ માલિક)થી રિવાયત વર્ણન કરે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક મજલિસમાં બેઠા હતા, જેમાં સહાબા બેઠા હતા કે અચાનક હઝરત જિબ્રઈલ (અલૈ.) પોતાના ચહેરા મુખડાથી અલગ જ મુસલમાનોમાંથી કોઈ એક મુસલમાન વ્યક્તિની શકલમાં આપની પાસે આવ્યા. (ત્યાર બાદ તેમની બેસવાની રીત વર્ણવતા આગળ સવાલ-જવાબનું વર્ણન કર્યું, જે આ મુજબ છેઃ) અય અલ્લાહપાકના રસૂલ ! ઇસ્લામ શું છે ? તો આપે ફરમાવ્યું એ કે તમે પોતાને અલ્લાહપાકને હવાલે કરી દો, એ સાક્ષી આપો કે અલ્લાહપાકના સિવાય કોઈ પૂજનીય (ઈબાદતને લાયક) નથી અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેના બંદા અને (અંતિમ) રસૂલ છે. નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો પછી આપે ફરમાવ્યું કે, જ્યારે તમે આ કામો બજાવી લાવો, તો તમે ઇસ્લામ લઈ આવ્યા. તેમણે કહ્યું : જી હા. પછી પૂછ્યું : ઈમાન શું છે ? આપે જવાબ વાળ્યો : એ કે તમે ઈમાન લાવો અલ્લાહપાક પર, આખિરત (પરલોક)ના દિવસ પર, ફરિશ્તાઓ પર, (આસમાની) કિતાબો પર, નબીઓ પર, મૃત્યુ અને મૃત્યુ બાદ સજીવન થવા પર, સ્વર્ગ અને નર્ક પર, (અલ્લાહપાક સમક્ષ તમારી સઘળી બાબતોના) હિસાબ-કિતાબ થવા પર, (તમારા અમલો વગેરેનું વજન કરવાના) મીઝાન (ત્રાજવા) પર અને સારી-નરસી તકદીર (ભાગ્ય) પર. (હદીષ લાંબી છે.) (મુસ્નદે અહમદ : ૧ર૯/૪)
- અમ્બિયાએ કિરામ (અલૈ.) પર મુજમલ (વિગતો ન હોય તો ટૂંકમાં) અને મુફસ્સલ (વિગતો હોય તો વિગતે) બન્ને રૂપે ઈમાન લાવવું જરૂરી છે.
- એક પણ નબીનો ઈન્કાર (ન માનવું) કુફ્ર છે.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : અને જે શખ્સ અલ્લાહ તઆલા પર અને તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તેમજ તેના રસૂલો પર અને કિયામતના દિવસ પર યકીન (ઈમાન) નહીં રાખે,
તો તે શખ્સ માર્ગ ભૂલી બહુ દૂર જઈ પડ્યો. (સૂરએ નિસાઅ : ૧૩૬) જે લોકો અલ્લાહપાક અને તેના રસૂલોને માનતા નથી અને એમ ઈચ્છે છે કે અલ્લાહ તઆલા અને તેના રસૂલોમાં (ઈમાન વિશે) જુદાઈ રાખે અને કહે છે કે, (નબીઓમાંથી થોડાકને અમે માનીએ છીએ અને થોડાકને નથી માનતા, (એમ કરી) તેઓ ઈચ્છે છે કે એની વચ્ચે એક બીજો માર્ગ (ધર્મ) બનાવે. તો એવા જ લોકો ખાતરીપૂર્વક કાફિર છે. (સૂરએ નિસાઅ : ૧પ૦-૧પ૧)
- સર્વે નબીઓ અને રસૂલોનો મરતબો એકસરખો નથી.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : આ રસૂલોમાં પણ અમે એકને બીજા પર શ્રેષ્ઠતા આપી છે. તેઓમાં અમૂક એવા પણ છે, જેમની સાથે અલ્લાહપાકે વાતો કરી છે તથા અમૂકના દરજ્જા વધાર્યા છે. (સૂરએ બકરહ : રપ૩)
- તમામ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) ગુનાહો અને બુરાઈઓથી પાક છે.
હઝરત મુગીરહ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નમાઝ માટે (રાત્રે તહજ્જુદ વગેરેમાં) ઉભા થતા, તો (એટલો લાંબો કિયામ ફરમાવતા કે) આપના કદમ મુબારકમાં સોજો આવી જતો. જ્યારે આપને અર્ઝ કરવામાં આવી કે,આપની તો આગલી-પાછલી બધી જ ચૂકો માફ કરી દેવામાં આવી છે. (પછી આટલી બધી તકલીફ શું કામ ઉઠાવો છો ?) તો આપે ફરમાવ્યું : શું હું (એમ કરીને) અલ્લાહપાકનો શુક્ર અદા કરવાવાળો બંદો ન બનું ? (બુખારી શરીફ, કિતાબુત્તફસીર, હદીષ નં.૪૮૩૬)
આ હદીષમાં ભવિષ્યકાળની ચૂકો પણ માફ હોવાનો ઉલ્લેખ છે.
- બધા જ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) અલ્લાહપાકના બંદા અને ઈન્સાન હતા.
કુર્આને પાકમાં છે : તેમના રસૂલોએ તેઓને કહ્યું કે, (ખરેખર) અમે પણ તમારા જેવા જ માણસો છે, પરંતુ અલ્લાહપાક પોતાના બંદાઓમાંથી (જેને) ચાહે છે તેના પર (નુબુવ્વતનો) ઉપકાર કરે છે. (સૂરએ ઈબ્રાહીમ : ૧૧) એટલામાં તે બાળક (હઝ. ઈસા અલયહિ- સ્સલામ) બોલી ઉઠ્યા કે, હું અલ્લાહ તઆલાનો (ખાસ) બંદો છું. તેણે મને કિતાબ આપી છે અને નબી બનાવ્યો છે. (સૂરએ મરયમ : ૩૦) અને અમે દાવૂદ (અલૈ.)ને (એક પુત્ર) સુલયમાન (અલૈ.) અર્પણ કર્યા, તે બહુ સારા બંદા હતા. (સૂરએ સાદ : ૩૦)
- બધા જ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) પુરૂષો હતા. કોઈ સ્ત્રીને કદી નુબુવ્વત મળી નથી.
- બધા જ નબીઓની મૂળભૂત દા’વત (ઉપદેશ) એક જ હતી અને તે છે તવહીદ (એકેશ્વરવાદ).
કુર્આન શરીફમાં છે : પછી જો તેઓ તમારૂં કહેવું પુરૂં ન કરી શકે, તો (તેઓને કહો, હવે તો) યકીન કરી લો કે કુર્આન શરીફ અલ્લાહપાકના જ્ઞાનથી ઉતર્યું છે. અને એ પણ યકીન કરી લો કે તેના સિવાય કોઈ મઅબૂદ (ઈબાદતને લાયક) નથી. (સૂરએ હૂદ : ૧૪) (હે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ !) ફરમાવી દો કે, અય એહલે કિતાબ ! અમારી અને તમારી વચ્ચે જે વાત (સત્ય હોવામાં) સરખી છે, તેના તરફ આવો. તે એ કે આપણે અલ્લાહ તઆલાના સિવાય કોઈની પણ બંદગી કરીએ નહીં, અને કોઈને પણ તેનો ભાગીદાર બનાવીએ નહીં. (સૂરએ આલિ ઈમરાન : ૬૪) આપ ફરમાવી દો કે, હું તો માત્ર મારા પરવરદિગારની જ બંદગી કરૂં છું અને કોઈને પણ તેનો શરીક ઠેરવતો નથી. (સૂરએ જિન : ર૦)
- અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ને મળતી નુબૂવ્વત અલ્લાહ તઆલાએ આપેલી એક નેઅમત હોય છે. એમાં એમના પરિશ્રમ અને મહેનતની કોઈ દખલ હોતી નથી.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : તેમના રસૂલોએ તેઓને કહ્યું કે (ખરેખર) અમે પણ તમારા જેવા જ માણસો છીએ, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓમાંથી (જેને) ચાહે છે તેના પર (નુબૂવ્વતનો) ઉપકાર કરે છે. (સૂરએ ઈબ્રાહીમ : ૧૧)
- તમામ અમ્બિયાએ કિરામ માસૂમ અને નિર્દોષ હતા.
- નબીઓ અને રસૂલોના હાથે અલ્લાહપાક તરફથી નુબૂવ્વતની સત્યતા પુરવાર કરવા માટે પ્રસંગોચિત (સમયાનુસાર) ચમત્કારો (મુઅજિઝાત) પણ જાહેર થયા છે.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : અને તમારી પાસે મુઅજિઝહ લાવવું અલ્લાહપાકના હુકમ સિવાય અમારા અધિકારનું કામ નથી. (સૂરએ ઈબ્રાહીમ : ૧૧) ફરી નૂહ અલયહિસ્સલામ પછી અમે બીજા રસૂલોને પોતપોતાની કૌમ તરફ મોકલ્યા, તો તેઓની પાસે સ્પષ્ટ દલીલો (મુઅજિઝહ) લઈ આવ્યા. (સૂરએ યૂનુસ : ૭૪) અને તેઓ (બની ઈસ્રાઈલ)ની પાસે અમારા ઘણા રસૂલો સ્પષ્ટ મુઅજિઝા લઈ આવી ચૂક્યા છે. (સૂરએ માઈદહ : ૩ર)
- અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) સિવાય બીજા કોઈથી મુઅજિઝહ પ્રગટ થઈ શકતો નથી.
- બધા જ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) અમાનતદાર, સાચા અને પ્રમાણિક હતા.
કુર્આન શરીફમાં છે : બેશક, તે (ઈસ્માઈલ અલયહિસ્સલામ) વાયદાના સાચા હતા. બેશક, તે (ઈદ્રીસ અલયહિસ્સલામ) સત્યવાદી નબી હતા. (સૂરએ મરયમ : પ૪, પ૬) અને તે (હઝ. ઈબ્રાહીમ અલયહિ- સ્સલામ) અમારા ઈમાનદાર બંદાઓ માંહેના હતા. બેશક, તે બન્ને (હઝ. મૂસા અને હઝ. હારૂન અલયહિમુસ્સલામ) અમારા (કામિલ) ઈમાનદાર બંદાઓ માંહેના હતા. (સૂરએ સાફ્ફાત : ૧૧૧, ૧રર) કુર્આને કરીમમાં અમૂક નબીઓનો (જરૂરત મુજબ) આ રીતે નામ સાથે ઉલ્લેખ કર્યો છે. બધા જ નબીઓ આ રીતે હતા.
- કોઈ નબીએ અલ્લાહપાકનો હુકમ છૂપાવ્યો નથી.
અલ્લાહપાક ફરમાવે છે : તે (નબી)ઓ એવા હતા કે, અલ્લાહ તઆલાના સંદેશા (અને હુકમો) પહોંચાડતા હતા અને તેનાથી જ ડરતા હતા. (સૂરએ અહઝાબ : ૩૯)
નીચે વર્ણવેલ હદીષ શરીફમાં હઝરત નૂહ (અલૈ.)નો ઉલ્લેખ છે. જેમણે પોતાની ઉમ્મતને તમામ હુકમો પહોંચાડી દીધા. એ જ રીતે તમામ નબીઓએ પણ અલ્લાહપાકના હુકમો લોકો સુધી પહોંચાડ્યા, એમાંથી કંઈ છૂપાવ્યું નહીં.
હઝરત અબૂ સઈદ (રદી.)થી રિવાયત છે કે, અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : નૂહ (અલૈ.) અને તેમની ઉમ્મત (અલ્લાહપાક સમક્ષ) આવશે, તો અલ્લાહ તઆલા હઝરત નૂહ (અલૈ.)ને પૂછશે : શું તમે (બધા હુકમો વગેરે) પહોંચાડી દીધા ? તો તેઓ જવાબ આપશે : જી હા, અય અલ્લાહપાક ! પછી તેમની ઉમ્મતને પૂછવામાં આવશે કે, શું હઝરત નૂહ (અલૈ.)એ તમારા સુધી (મારા હુકમો) પહોંચાડ્યા ? તો તેઓ જવાબ આપશે : ના, અમારી પાસે તો કોઈ નબી આવ્યા જ નથી. એટલે અલ્લાહપાક હઝરત નૂહ (અલૈ.)ને પૂછશે : તમારા માટે કોઈ ગવાહી આપનાર છે ? તો હઝરત નૂહ (અલૈ.) અરજ કરશે : જી હા. મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને તેમની ઉમ્મત. પછી એ બધા ગવાહી આપશે કે, હા. હઝરત નૂહ (અલૈ.)એ પોતાની ઉમ્મતને (બધા હુકમો) પહોંચાડી આપ્યા.
- અલ્લાહપાકે પોતાની ઘણી કિતાબો નબીઓ પર ઉતારેલ છે.
કુર્આન શરીફમાં છે : અલબત્ત, અમે અમારા રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ આપી મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને ત્રાજવાં ઉતાર્યા કે જેથી તેઓ ન્યાય પર કાયમ રહે. (સૂરએ હદીદ : રપ) બેશક, અમે (મૂસા અલયહિસ્સલામ પર) તવરાત ઉતારી. (માઈદહ : ૪૪)
- સર્વે નબીઓ સર્વ પ્રકારના સદ્ગુણો ધરાવતા હતા અને દરેક પ્રકારના ગુનાહો અને ખોડ (ઐબ)થી પાક (પવિત્ર) હતા.
- તમામ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) મનેચ્છાઓ (નફસની ખ્વાહિશો)થી ઉચ્ચ હતા.
- હઝરત ઈસા (અલયહિસ્સલામ)ને અલ્લાહપાકે આસમાન પર જીવતા ઉઠાવી લીધા છે.
કુર્આન શરીફમાં છે : અને બેશક, તેઓએ તેમને (હઝ. ઈસા અલયહિસ્સલામ)ને કતલ કર્યા જ નથી, બલ્કે અલ્લાહપાકે તેમનપોતાના તરફ (આકાશ પર જીવતા) ઉઠાવી લીધા. (સૂરએ નિસાઅ : ૧પ૭-૧પ૮) (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહપાકે ફરમાવ્યું કે, હે ઈસા (અલયહિસ્સલામ) ! (ચિંતા ન કરો) હું તમને લઈ લઈશ અને (દુનિયાથી) તમને પોતાના તરફ (એટલે કે ફરિશ્તાઓના રહેઠાણ તરફ જીવતા) ઉઠાવી લઈશ. (સૂરએ આલિ ઈમરાન : પપ)
- કિયામત પહેલાં હઝ. ઈસા (અલયહિસ્સલામ) દુનિયામાં ફરી વાર તશરીફ લાવશે અને દીને મુહમ્મદીની પેરવી કરશે-કરાવશે.
જેમકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : તે જાતની કસમ ! જેના કબ્જામાં મારી જાન (જીવ) છે, તે સમય નજીક (આવીગયો) છે કે, ઈસા અલયહિસ્સલામ (આસમાનથી ઉતરીને) તમારી પાસે આવી જાય, જેઓ આ શરીઅત પ્રમાણે ફેંસલા કરશે અને ન્યાય કરશે, સલીબ (ક્રોસ)ને તોડી નાંખશે, સૂવ્વર (ભૂંડ)નો સફાયો કરશે, ટેક્ષ માફ કરશે અને માલ એટલો વધારશે કે લેવાવાળો કોઈ નહીં હશે. (મુસ્લિમ શરીફ)
- અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)ના હકમાં થોડીક પણ બેઅદબીથી ઈમાન છીનવાઈ જવાનો પૂરે પૂરો ભય રહે છે.
કુર્આને કરીમમાં છે : અને ખરેખર, આપની અગાઉના અનેક રસૂલો સાથે પણ ઠઠ્ઠો કરવામાં આવ્યો છે. ફરી તેઓ માંહેના મશ્કરાઓને તે જ વસ્તુએ (અઝાબે) ઘેરી લીધા, જેની તેઓ મશ્કરી કરતા હતા. (સૂરએ અન્આમ : ૧૦) આપ ફરમાવી દો કે, શું તમે અલ્લાહ તઆલા અને તેના હુકમો તથા તેના રસૂલોની મજાક કરતા હતા ? તમે હવે બહાના ન બતાવો. ખરેખર, તમે ઈમાન જાહેર કર્ય પછી કાફિર થઈ ગયા છો. (સૂરએ તવબહ : ૬પ)
- હશ્રમાં સર્વે લોકો પયગમ્બરોની પાસે સિફારીશ માટે જશે. અંતે આપણા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સિફારીશ ફરમાવશે.
મુસ્લિમ શરીફમાં આ વિશે વિસ્તારપૂર્વક ઘણી લાંબી હદીષ બયાન કરવામાં આવી છે. જેમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે લોકોનું ભેગા થઈને આદમ અલયહિસ્સલામ પાસે, ત્યાર બાદ વારા- ફરતી બીજા નબીઓ પાસે સિફારીશ માટે જવાનો ઉલ્લેખ કર્યો છે. અંતમાં આપ ફરમાવે છે : જ્યારે બધા જ લોકો હઝરત ઈસા (અલયહિસ્સલામ) પાસે પહોંચી જશે, તો તે પણ કહેશે કે, હું એ (સિફારીશ)ના લાયક નથી, પરંતુ તમે લોકો મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પાસે ચાલ્યા જાઓ. જેમની શાન એ છે કે, (જએમ માની લઈએ કે, એમનાથી કોઈ ભૂલચૂક થઈ પણ હોય તો પણ) અલ્લાહ તઆલાએ તેમની આગલી-પાછલી તમામ શરતચૂક માફ કરી આપી છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવે છે કે, ત્યાર બાદ બધા લોકો મારી પાસે આવશે. (જેથી) હું પરવરદિગાર પાસે (સિફારીશ)ની પરવાનગી લઈશ. જેની પરવાનગી પણ મને મળી જશે. (મુસ્લિમ શરીફ) હદીષ ઘણી લાંબી છે, એમાંથી થોડોક ભાગ રજૂ કર્યો છે.
- નબીઓએ પોતાની નુબૂવ્વત પર ઈમાન લાવવું જરૂરી છે.
- કોઈ નબીએ અલ્લાહ તઆલાના પયગામમાં કશી તબ્દીલી (ફેરબદલ) કે કાપકૂપ કરી નથી અને પોતાના તરફથી એમાં એક અક્ષરનો પણ વધારો કે ઘટાડો કર્યો નથી.
કુર્આને પાકમાં ફરમાવ્યું : તે (નબી)ઓ એવા હતા કે, અલ્લાહ તઆલાના સંદેશા પહોંચાડતા હતા અને તેનાથી જ ડરતા હતા. (સૂરએ અહઝાબ : ૩૯) તે રસૂલોએ કહ્યું : અમારો પરવરદિગાર જાણે છે કે બેશક, અમે તમારા તરફ મોકલવામાં આવ્યા છીએ અને અમારા શિરે તો સ્પષ્ટ રીતે (સંદેશો) પહોંચાડી દેવું જ હતું. (સૂ.યાસીન : ૧૭)
- નબીઓ અને રસૂલોના ખ્વાબ (સપના) યકીની (સાચા) અને ઉમ્મત માટે દલીલ છે.
ઈમામ બુખારી (રહ.)એ હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)ના હવાલાથી ઘણી લાંબી રિવાયત વર્ણવી છે. જેમાં ઉલ્લેખ છે કે, તેઓપોતાની માસી ઉમ્મુલ મુઅમિનીન હઝરત મયમુના (રદી.)ને ત્યાં એક રાત સૂતા અને એ રિવાયતમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો આખી રાતનો નિત્યક્રમ વર્ણવ્યો છે. વુઝૂ, તહજ્જુદ, નફલ નમાઝો, ફજરના સમયે આપનો મામૂલ વગેરે વર્ણવ્યું છે. અને અંતમાં આ ઉલ્લેખ છે કે, હઝરત અમ્ર ફરમાવે છે કે, ઉબૈદ બિન ઉમૈરને એમ કહેતા સાંભળ્યા કે, નબીઓના સપનાઓ પણ વહી જ છે (બુખારી શરીફ, કિતાબુલ વુઝૂ, હદીષ નં.૧૩૮)
- નબી કદી પદભ્રષ્ટ થતા નથી.
- નબીઓમાં સૌપ્રથમ હઝરત આદમ (અલયહિસ્સલામ)ને અને સૌથી અંતિમ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મોકલવામાં આવ્યા.
કુર્આન શરીફમાં છે : મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમારા પુરૂષોમાંથી કોઈના બાપ નથી, પરંતુ અલ્લાહના રસૂલ અને નબીઓની મહોર (અંતિમ નબી) છે. (સૂરએ અહઝાબ : ૪૦)
- પયગમ્બર (સંદેશો લાવનાર) ફરિશ્તાઓથી શ્રેષ્ઠ છે.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : અને અમે જો કોઈ ફરિશ્તાને (રસૂલ બનાવી) મોકલત, તો અમે એને પણ મનુષ્ય(ના સ્વરૂપમાં જ) બનાવત. (સૂરએ અન્આમ : ૯)
- સામાન્ય માનવી (નબીઓ સિવાયના લોકો) સામાન્ય ફરિશ્તાઓ (જેઓ સંદેશો લાવનાર ન હોય તેમના)થી શ્રેષ્ઠ છે.
જેમકે હઝરત અબૂ હુરૈરહ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : મુઅમિન અલ્લાહ તઆલા સમક્ષ અમૂક ફરિશ્તાઓ કરતાં વધુ શ્રેષ્ઠ છે. (ઈબ્ને માજહ, કિતાબુલ ફિતન, હદીષ નં.૩૯૪૭)
Log in or Register to save this content for later.