બ્લેક બોક્ષ- હિસાબ-કિતાબની યાદ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 39 to 42)

કુર્આની આયત : અર્થાત્‌ (હે લોકો) તમે કોઈ પણ કામ કરતા હો, અમને તે સૌની ખબર રહે છે, જયારે કે તમે તે કામને કરવાનુ શરૂ કરો છો. અને તારા પરવરદિગારથી એક જ રજકણ બરાબર પણ પૃથ્વીમાં કે આકાશમાં છુપુ રહેતુ નથી, અને કોઈ વસ્તુ તેના કરતાં નાની કે મોટી એવી નથી જે સ્પષ્ટ કિતાબ (લવહે મહ્‌ફૂઝ) માં લખાયેલ ન હોય. (સૂરએ યુનુસ : ૬૧)

વિમાની કાયદા પ્રમાણે ૧ર૦૦ પાઉન્ડથી વધારે વજની વિમાનોએ પોતાની સાથે બ્લેકબોક્ષ રાખવુ જરૂરી છે. બ્લેક બોક્ષ બે નાના નાના ખાસ પ્રકારના ટેપરેકોર્ડર છે. જેમાની એકને ફલાઈટ રેકોર્ડર અને બીજાને વોઈસ રકોર્ડર કહેવામાં આવે છે. બન્નેવ અંદાજે ર૦ ઇંચ લાંબુ અને ર૦ ઇંચ પહોળુ હોય છે. એનો વજન રપ પાઉન્ડ હોય છે. આ બોક્ષ પાઈલોટની અવાજ વિમાનની ઝડપ અને બીજી જરૂરી માહિતી રેકોર્ડ કરે છે, ઓટોમેટિક રીતે દર અર્ધા કલાકે તે ભૂંસાઈ જાય છે. જેથી વિમાનની છેલ્લી ઘડીની માહિતી જાણી શકાય. ર૩ જુન ૧૯૮પના રોજ એરઈન્ડિયા નું બોઇંગ ૭૪૭ કેનેડાથી લંડન જતા એટલાન્ટીક સમૂદ્રમાં દુર્ઘટના ગ્રસ્ત થઈ, બત્રીસ મુસાફીરો સાથે તબાહ થઈ ગયુ. એક પણ વ્યકિત બચી નહી, જે દુર્ઘટનાની વિગત દર્શાવી શકે. એટલાન્ટીક સમુદ્ર બીજા નંબરનો સમુદ્ર છે. જેનું ક્ષેત્રફળ નાના નાના ટાપુઓ સહીત ૪,૧૧,૦૦૦૦૦ ચોરસ માઈલ છે. આવા મોટા સમૂદ્રમાંથી નાનુ બોક્ષ શોધવુ જે સમૂદ્રમાં બે માઈલ નીચે ઉંડાણમાં પડેલુ હતું, અતિ કઠિન અને અશકય હતું. પરંતુ ૧૦ અને ૧૧ જુલાઈના બન્નેવ રેકોર્ડરો (રિમોટ કન્ટ્રોલ રોબટ) માનવયંત્ર દ્વારા શોધી કાઢયા. આ કેમ કરીને  ? બ્લેક બોક્ષમાં એવી મશીનો લાગેલી હોય છે, જેનાં દ્વારા તે રેડિયાઈ સિગ્નલ આપતી રહે છે. આ સિગ્નલ પ્રત્યેક સેકંન્ડે ત્રીસ દિવસ સુધી આપે છે. ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને અમેરિકાની અત્યંત આધુનિક સિસ્ટોમેટીક સ્ટીમ્બરોએ સિગ્નલ દ્વારા તેના ચોક્કસ સ્થળની બાતમી મેળવી લીધી. ત્યાર બાદ ખાસ પ્રકારના કેમેરાથી તેની તસ્વીરો લીધી. પછી માનવયંત્રોને સમુદ્રના તટે મોકલ્યા. તેમનું રેડયાઈ કિરણોથી કન્ટ્રોલ કરવામાં આવે છે. એન્જીનિયરો મશીની સ્ક્રીન વડે જોઈ રોબર્ટ (માનવયંત્ર)ને માર્ગદર્શન આપી બ્લેકબોક્ષ માનવયંત્રના હાથોમાં પકડાઈ આપે છે. જે તેને ઉપર લાવી વૈજ્ઞાનિકોના હવાલે કરે છે. આવી અત્યંત આધુનિક માહિતી સાંભળી જયારે આપણે કુર્આન શરીફની આ આયતનો ભાવાર્થ સમજીએ તો આપણને ખુદાઈ મહાન તાકાતનો અંદાજો આપશે કે તે આપણા એકઢએક કર્મનો કેવી રીતે હિસાબ લેશે. કુર્આન શરીફમાં છે કે, અર્થાત્‌ ‘‘અને તેઓ કહેતા હશે કે, હાય અમારી કમબખ્તી ! આ કાગળ (અઅમાલનામુ)ની અજબ હાલત છે, કે એણે ન કોઈ નાની વાત છોડી, ન મોટી વાત (છોડી), પરંતુ સૌને લખી રાખી છે. અને તેઓએ જે કંઈ (દુનિયામાં) કર્યુ હશે તે સઘળુ (નોંધ થયેલુ) સ્હામે જોશે. અને તારો પરવરદિગાર કોઈના ઉપર ઝુલ્મ કરશે નહિ. (સૂરએ કહફ : ૪૯)

વિજ્ઞાન એ સૃષ્ટિમાં વિભિન્ન અસર કરનાર નિયમોની શોધનું નામ છે. આ નિયમોથી જે હિસ્સાની પણ વિજ્ઞાન શોધ કરે છે, તે હકીકતમાં અલ્લાહ તઆલાની કુદરતની એક ઝલક હોય છે. ખુદાઈ નિશાનીઓમાંથી એક નિશાની (ચિન્હો)નું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક માટે વિજ્ઞાન ફકત જ્ઞાન કે શોધ છે, પરંતુ મુસલમાન માટે તે ઈસ્લામની દઅ્‌વત (પ્રચાર)નું માધ્યમ છે, જેને તે ઇસ્લામના પ્રચાર માટે લોકો સમક્ષ રજુ કરે છે.

Log in or Register to save this content for later.