Chapter : તહારત
(Page : 111)
સવાલ :– એક સરકારી કૂવામાં કબૂતર મરી ગયું છે અને તે ફૂલીને ફાટી પણ ગયું છે અને કાચબા તેનું માંસ ખાતા જોવામાં આવ્યા છે અને તે કૂવામાંથી મ્યુનિસિપાલિટી મુસ્લિમ મહોલ્લામાં પાણી પહોંચાડે છે, તે કૂવામાં પાણી ઘણું જ છે, તેમાંથી દરરોજ ત્રણ કલાક મોટર ચલાવી પાણી ખેંચવામાં આવે છે. તો આ રીતે કબૂતર મરી જવાથી કૂવાનું પાણી નાપાક ગણાશે કે નહિ ?
જવાબ :– જો મજકૂર કૂવો ફિકહની પરિભાષા મુજબ ‘દહ દર દહના માપ પ્રમાણે મોટો હોય (એટલે કે તેના પાણીની સપાટીનું ક્ષેત્રફળ રરપ ચો. ફૂટ હોય) અને મરેલા કબૂતરના કારણે તેના પાણીમાં દુર્ગંધ ન આવતી હોય અને તેના કારણે પાણીના સ્વાદ અને રંગમાં પણ કોઈ ફેરફાર ન થયો હોય તો આ સૂરતમાં તેમાં મરેલું કબૂતર પડીને ફૂલી ફાટી જવા છતાં તેનું પાણી પાક ગણાશે અને જો મજકૂર કૂવો ઉપરની વિગત મુજબ ‘દહ દર દહના માપ પ્રમાણે મોટો ન હોય તો કબૂતરના તેમાં મરવાથી તેનું પાણી નાપાક ગણાશે, ચાહે પાણીના ગુણો વાસ, સ્વાદ અને રંગમાંથી કોઈ વસ્તુમાં ફેરફાર ન થયો હોય અને મૃત કબૂતર તેમાં ફૂલી ફાટી જવાથી તેને કાઢયા પછી કૂવાનું બધું પાણી કાઢવાથી કૂવો પાક થશે. (‘શામી ૧/૧૪૧)
Log in or Register to save this content for later.