Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 33 to 35)
પવિત્ર કુર્આન શરીફ પોતાના સમયથી તેરસો (૧૩૦૦) વર્ષ આગળ.(સીટીઝન કેનેડા–રર/૧૧/૧૯૮૪)
આ પ્રમાણે કેનેડા તથા ભારતના પ્રથમ ક્ષેત્રના અંગ્રેજી ન્યુઝ પેપરોના શિર્ષક અને હેડિંગ વાંચી આપ અચરજમાં પડી જશો, આ એક નક્કર હકીકત અને વાસ્તવિકતા છે. એની વિગત આમ છે કે, કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીના અંગશાસ્ત્ર વિભાગના ચેરમેન તથા ત્યાંના યુનાઈટેડ ચર્ચના મેમ્બર ડૉ. કેથમોર જે સ્ત્રીના ગર્ભાશય અને શિશુ વિષે બહોળુ જ્ઞાન ધરાવે છે. જેમના અભ્યાસનું તારણ ડૉ. રોર્બટ એડવર્ડ (કેમ્બ્રિજ યુનિ.ના પ્રથમ ટેસ્ટ ટયુબ બેબીના સર્જન)થી પણ ઘણુ મળતુ આવે છે. બલ્કે ડૉ. એડવર્ડે પણ ડૉ. કેથમોરના આ તારણોને પોતાના આધુનિક સંશોધનને આધારે સાચા ઠેરાવ્યા છે.
આ બન્નેવ ડોકટરો સાથે બીજા બે ડોકટરો ડૉ. ટી. વી. એન પ્રસાદ અને ડૉ. માર્શલ જોન્સન આ ચારેવ કુશળ અને પ્રખ્યાત ડોકટરોને જીદ્દહની કીંગ અ.અઝીઝ યુનિવર્સિટી તરફથી કુર્આન શ.ની અમુક આયતોની વૈજ્ઞાનિક પરિભાષામાં છણાવટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ. તેમના સમક્ષ ઘણી આયતોના અંગ્રેજી ભાષાંતરો રજુ કરી રિસર્ચ કરવા જણાવવામાં આવ્યુ.
(૧) અમે ઈન્સાનને માટીના સત્વથી બનાવ્યો છે, પછી અમે તેને વિર્યબિંદુ બનાવીને એક સુરક્ષિત સ્થાન (ગર્ભાશય)માં રાખ્યો, પછી તે વિર્યબિંદુને જામેલુ લોહી બનાવ્યુ, ફરી તે જામેલા લોહીથી માંસનો લોચો બનાવ્યો, ફરી તે લોચા(ના અમુક ભાગ)થી હાડકાં બનાવ્યા, ફરી તે હાડકાં ઉપર માંસ ચઢાવી દીધુ, ફરી અમે (તેમાં પ્રાણ નાંખી) તેને એક નવા જ સ્વરૂપમાં બનાવી દીધો. તો અલ્લાહ તઆલાની કેવી મોટી શાન છે, જે બધાથી બેહતર બનાવનાર છે. પોતાના રિસર્ચ અને તેહકીક બાદ ડૉ. કેથમોરે જે રિપોર્ટ આપ્યો તે એ છે કે, મને કુર્આન શરીફના અભ્યાસે ઘણા જ અચંબામાં નાખી દીધો. કારણ કે ગર્ભાશયમાં વિર્યના પહોંચવાના ર૮ દિવસ સુધીનાવિર્ય વિકાસ બાદ તેની લંબાઈ એક મિલીલીટરના દસમા ભાગથીવધારે નથી હોતી. તે ફકત આધુનિક દૂરબીનથી જ જોઈ શકાય છે. અને આ વાત સ્વિકાર્ય છે કે ૧૭મી સદી ઈસ્વીથી પહેલા શુક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ ન હતી, પરંતુ જ્યારે મેં આ વિષયને લગતી આયતોનેા અભ્યાસ કર્યો તો હું ઘણો જ અચંબામાં પડી ગયો કે, કુર્આન શરીફ સાતમી સદીમાં જે વિશ્લેષણો કર્યા છે તે આધુનિક વૈજ્ઞાનિક સંશોધનથી એટલી હદે વધુ નજીક અને સચોટ તથા સચ્ચાઈવાળા છે કે મુસ્લિમો બૌધ્ધિક રીતે યકીન કરી શકે છે કે તે અલ્લાહપાક તરફથી ઉતરેલી કિતાબ છે.
ડૉ. કેથમેર લખે છે કે મેં બાઈબલના નવા કરાર અને જુના કરારનું પણ આ વિષયે વિશ્લેષણ અને તહકીક કરી છે પરંતુ કુર્આન શરીફની આયતોથી તેનો કોઈ જ સબંધ નથી.
આ ચારેય ડોકટરો સમક્ષ બીજી આયત અંગ્રેજી ભાષાંતર સાથે રજુ કરવામાં આવી, જેમાં સ્ત્રીના પેટના ત્રણ અંધારામાં બાળકના વિકાસનું વર્ણન કરવામાં આવ્યુ છે.
(ર) તે અલ્લાહપાક તમને તમારી માતાઓના પેટ (ઉદર)માં ત્રણ અંધકારો દરમ્યાન એક સ્થિતિ પછી બીજી સ્થિતિ પર (તબક્કાવાર) બનાવે છે. એ જ અલ્લાહપાક તમારો પરવરદિગાર છે, જેની બાદશાહી છે. તેના સિવાય કોઈની જ બંદગી નથી, છતાં તમે કયાં અવળા (માર્ગે) જાઓ છો ?
ડૉ. કેથમર ત્રણ અંધારા વિશે છણાવટ કરતા જણાવે છે કે, દઢ વિશ્વાસ સાથે સ્પષ્ટપણે કહી શકાય છે કે તેનાથી પેટની દિવાળ, ગર્ભાશયનો પડદો અને બચ્ચાદાનીના અંદરનો પાતળો ચામડી જેવો ભાગ, જેમાં બાળક વીટાયેલુ હોય છે. આ ત્રણ અંધકારમાં બાળકો વિકાસ થાય છે.
પોતાના કુર્આન શરીફ વિષેના મહાનિબંધમાં ડૉ. કેથમોર લખે છે કે મહાન વૈજ્ઞાનિક ડૉ. સ્પીલનઝીનીએ અઢારમી સદીમાં પોતાના સતત પ્રયોગો દ્ધારા સાબિત કર્યુ કે સ્ત્રી અને પુરુષના યૌની પ્રજનન તત્વોનું એકબીજામાં મિશ્રણ ન થાય ત્યાં સુધી બાળકનો જીવ વિકાસ અપ્રાપ્ત છે.
કુર્આન શરીફ સ્પીલનઝીનીથી અગ્યારસો (૧૧૦૦) વર્ષ પહેલા મિશ્રણ વિર્યનો ઉલ્લેખ કર્યો અને બતાવ્યું કે સ્ત્રીઢપુરુષના વિર્યોના મિશ્રણથી સંતાન પ્રાપ્તિ થાય છે.
ડૉ. કેથમોરનું કહેવું છે કે કુર્આન શ.ની આયતો અને હઝરત મુહમ્મદ (સલ.)ના અમુક આદેશો ધર્મ અને વિજ્ઞાન દરમ્યાન વર્ષોથી ચાલતા સંઘર્ષ અને વૈમનસ્ય દૂર કરવામાં ઘણા જ સહાયરૂપ પૂરવાર થઈ શકે છે.
Log in or Register to save this content for later.