Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 31 to 33)
કુર્આન શરીફ અને નવા કરાર, જુના કરાર(બાઈબલ) વિષે ચર્ચા કરતા ડો. મોરીસ લખે છે કે બદકિસ્મતીથી બાઈબલોના લેખકોના તે બયાનોના જે તેમણે બાઈબલોમાં લખ્યા, તેઓ તેના પોતે સાક્ષી ન હતા. તે ફકત ભાષાંતરકર્તા હતા. તેમણે યહુદી, ખ્રિસ્તી સપ્રંદાયોના અલગ અલગ કબીલાઓ અને જ્ઞાતિઓથી સાંભળેલ જાણકારી લોકો સમક્ષ રજુ કરી, જેથી તે વિરોધાભાસ, અશકયતાઓ અને અતિશયોકિતઓથી ભરપુર છે. જયારે કુર્આન શરીફનો ઈતિહાસ સૈધ્ધાંતિકરૂપે આ બન્નેવ કરારોથી વિભિન્ન છે. તેનો ફેલાવો લગભગ વીસ વર્ષની મુદ્દતમાં થયો. હઝરત જીબ્રઈલ (અલૈ.) દ્વારા હઝરત મુહમ્મદ (સલ.) પાસે તે જ્યારે પણ પહોંચતુ કે તરત મુસલમાન તેને મોઢે કરી લેતા. આ પ્રમાણે હઝરત મુહમ્મદ (સલ.)ની હયાતીમાં જ તે લખાય ચુકયુ હતુ. ત્યારબાદ લગાતાર પાબંદીથી સંર્પૂણ અમાનતદારી સાથે સુરક્ષિત કરવામાં આવ્યુ. તેની ભરોસા પાત્રતામાં લેશમાત્ર શંકા નથી, જેથી તે પોતાના બયાનોમાં વિરોધીભાસોથી સંર્પૂણ પાક છે. જયારે બાઈબલોમાં માનવિય સુધારા વધારાના નમુના મૌજુદ છે. જે લોકો વૈજ્ઞાનિક પધ્ધતિથી કુર્આન શરીફની સમીક્ષા કરે છે, તેમના માટે આ ઘણી ખુબીની વાત છે કે, કુર્આન શ. વૈજ્ઞાનિક જાણકારી અને શોધખોળોથી સર્પૂણ અને સર્વથા સમાનતા ધરાવે છે.આવા સંજોગોમાં આ વાત તદ્દન અશકય અને સત્યથી વેગળી છે કે કુર્આન શરીફને હઝરત મુહમ્મદ (સલ.)ના યુગની કોઈ વ્યકિત લખી શકે. કુર્આન શરીફની વિજ્ઞાનથી આટલી બધી સમાનતા એ વાતનુ સ્પષ્ટ પ્રમાણ છે કે, તે સંપૂર્ણપણે માનવરચિત પુસ્તક માનવાની જગ્યાએ ફકત ખુદાઈ સંદેશ (વહી) જ સમજવામાં આવે, સાથે જ સચ્ચાઈના પ્રમાણપત્ર અને વૈજ્ઞાનિક વકતવ્યોને લઈ કુર્આન શરીફનું વાંચન આજના યુગમાં પણ માનવ સમાજ માટે એક ચેલેંજ છે. આ વિશિષ્ટતા ફકત કુર્આન શરીફને જ પ્રાપ્ત છે.
વાંચક બિરાદરો ! જે લોકો કુર્આન શરીફને આકાશી પુસ્તક હોવાની વૈજ્ઞાનિક દલીલો જાણવા માંગે છે, તેમણે ડો. મોરિસના આ બન્નેવ પુસ્તકોનું તટસ્થ વાંચન કરવુ જોઈએ. સાથે આ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી કે, કુર્આન શરીફ વિષયરૂપે વિજ્ઞાનનું પુસ્તક નથી. તે તો માનવસમાજની આધ્યાત્મિક (રૂહાની) સુધારણા માટે ઉતારવામાં આવ્યુ છે.
પરંતુ કુર્આન શરીફ જે માન્યતાઓ, અકીદાઓ અને શ્રધ્ધાઓ રાખવાની પ્રેરણા, આહવાન અને દઅવત પેશ કરે છે, તેના માટે જે પ્રકૃતિક (કુદરતી) અને વાસ્તવિક નિશાનીઓને દલીલરૂપે રજુ કરે છે, તે કુદરતી નિશાનીઓ પણ તેજ છે, જેનુ અધ્યયન અને તહકીક વિજ્ઞાનમાં પણ કરવામાં આવે છે. પ્રકૃતિ (કુદરત) એ કુર્આન શરીફઅને વિજ્ઞાન બન્નેવનો વિષય છે. અલબત્ત વિજ્ઞાનમાં ફકત વિદ્યા અને જ્ઞાન સ્વરૂપે તેનું વર્ણન છે, જ્યારે કુર્આન શરીફમાં બોધ માટે વર્ણન છે.
કુર્આન શરીફની દલીલરૂપી નિશાનીઓનું આધુનિક વિજ્ઞાનથી આટલુ બધુ મળતાપણુ અને સમાનતા દર્શાવે છે, કે કુર્આન શરીફ તે મહાન અલ્લાહ તઆલાના તરફથી ઉતારેલ કિતાબ છે, જેમને બધી જ જાહેરી અને છૂપી વિદ્યાઓનું સંર્પૂણ જ્ઞાન છે. અને જેમનુ વિશાળ જ્ઞાન ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સરહદોથી ઉપરવટ છે.
ડૉ. મોરીસના કહેવા મુજબ એક સામાન્ય અંદાજ પ્રમાણે કુર્આન શરીફની ૪૦ આયતોનો સબંધ ખગોળશાસ્ત્રથી છે, જેમાં આકાશ, સૂર્ય, ચંદ્ર તેમના ભ્રમણ, ધુ્રવ, રાતઢદિવસનું લગાતાર નિયમસર આવવુઢજવુ, પૂર્વ અને પશ્ચિમનો સૂર્યોદય તથા સૂર્યાસ્તથી સબંધ, આકાશોની રચના, સૃષ્ટીની વિશાળતા, અંતરિક્ષ વિશેની માહિતી, ધરતી, પાણી, મહાસાગરો, ધરતીનો આકાર, ઉંચાણઢનીંચાણ, પહાડો, ખડકો, વરસાદ, વિજળીની ચમક, ગાજવીજ, છાયો તથા વનસ્પતિ જગતની માહિતી, જીવન આરંભ, વનસ્પતિની વૃધ્ધિ અને ઉછેરમાં નર અને માદાનું હોવુ, પશુ જગતનું વર્ણન, મધમાખી, પક્ષીઓ, કરોડીયા, પશુઓના દૂધના વિવિધ અંશોના મિશ્રણનું વર્ણન (લોહી અને છાણથી શુધ્ધ રહી), સ્ત્રીના ગર્ભાશયમાં બાળકનો તબકકાવાર ઉછેર, પુરૂષના વિર્યની પ્રારંભિક માહિતી, માસિક અવસ્થાના નિયમો, તલાક પામેલ સ્ત્રીઓની ઈદ્દત વિશેના કાયદાઓ વગેરે આધુનિક વિજ્ઞાનથી વધુ નજીક છે.
Log in or Register to save this content for later.