સંપાદકીય

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 5 to 11)

પાછલા થોડા દિવસો પહેલા વલ્લભભાઈ વિદ્યાનગર-આણંદથી અમૂક વિદ્યાર્થીઓ ઇસ્લામી દઅ્‌વત વિશે ચર્ચા કરવા આવ્યા હતા. તેઓ ગેરમુસ્લિમ ભાઈઓ તરફથી ઇસ્લામ વિશે અમૂક સવાલો લખીને લાવ્યા હતા. તેમાં ત્રણ સવાલોનો સબંધ ઇસ્લામી અકીદાઓ (માન્યતાઓ) બાબતે હતો : (૧) કુર્‌આન શરીફ અલ્લાહપાકનું કલામ છે એ કેવી રીતે સાબિત કરી શકો છો ? (ર) મૃત્યુ પછીના જીવનને કઈ રીતે સાબિત કરી શકો છો ? (૩) જ્યારે બધા જ ધર્મો સારા કામો કરવાનું શિખવાડે છે, તો શા માટે ફક્ત ઇસ્લામને જ અનુસરવુ જોઈએ ?

તે દિવસોમાં ઇસ્લામી માન્યતાઓ વિશે બુક લખી રહ્યો હતો, પરંતુ તેમાં ફક્ત કુર્‌આન શરીફ અને હદીષ શરીફ પ્રમાણે જ વર્ણનો લખ્યા હતા. જ્યારે આ ત્રણ પ્રશ્નો વાંચ્યા, તો પછી તેના જવાબો માટે પણ વિચાર્યું અને સમજમાં આવ્યું કે ઇસ્લામી અકીદાઓ જ નહીં, બલ્કે ઇસ્લામની સંપૂર્ણ તઅલીમ ઉપર જે આક્ષેપો અથવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ આધુનિક શિક્ષણનિતિ તથા અભ્યાસક્રમ છે. જેમાં વિદ્યાર્થીઓને ભૌતિકવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્રનું જ જ્ઞાન આપવામાં આવે છે. અને વર્તમાન શિક્ષણનિતિનો પાયો જ ધર્મ વિરૂદ્ધ બલ્કે અલ્લાહપાકના અસ્તિત્વ અને તેને સૃષ્ટિના સર્જક તરીકે સ્વિકારવાને બદલે સમગ્ર સૃષ્ટિને ફક્ત પ્રાકૃતિક નિયમો જેમકે ન્યુટને દર્શાવેલ ગુરૂત્વાકર્ષણબળ, ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી, ડાલ્ટનના પ્રદાર્થવિજ્ઞાન (પરમાણુ), નિલ બોહર (bohr)ના ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન તથા આઈનસ્ટાઈનના સાપેક્ષવાદના આધારે ચાલતી સમજવામાં આવે છે. આ પ્રમાણેની વિચારધારાઓ ધર્મમાં વિવિધ પ્રકારની શંકાકુશંકાઓ ઉત્પન્ન કરે છે. અને સાથે ભૌતિકવાદની ધર્મથી વિમુખ કરનારી બીજી નવી વસ્તુઓ, મનેચ્છાઓને ભડકાવનારી અશ્લિલ ફિલ્મો, ઈન્ટરનેટના વિવિધ પ્રોગ્રામો વગેરે બળતામાં તેલ બલ્કે પેટ્રોલ હોમવાનું કામ કરે છે. એમાં ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની વિચારધારાએ સૌથી વધુ ધર્મને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.

વર્તમાન અભ્યાસક્રમમાં હજુ પણ ઉત્ક્રાંતિવાદની માન્યતાને સૌથી પ્રબળ માન્યતા માનવામાં આવી છે. પરંતુ અનુભવો એમ કહે છે કે, આ દ્રષ્ટિકોણને સ્વીકૃતિ એટલા માટે નથી મળી કે, વૈજ્ઞાનિક ધોરણે તે સિદ્ધ થઈ ચૂક્યો છે. બલ્કે એટલા માટે મળી છે કે, આધુનિક શિક્ષિત વર્ગ જીવનની વ્યાખ્યા ખુદાપાક વગર કરવા માંગે છે. આધુનિક વર્ગને એવું લાગે છે કે, ઉત્ક્રાંતિવાદ સ્વરૂપે તેમને એક વ્યવહારૂ દ્રષ્ટિકોણ મળી ગયો છે. તેના સિવાય કોઈ પણ વાસ્તવિક વૈજ્ઞાનિક આધાર ઉત્ક્રાંતિવાદના પક્ષે મૌજૂદ નથી.

એટલા જ માટે મેં પ્રસ્તાવનામાં ચાર્લ્સ ડાર્વિનના દ્રષ્ટિકોણ વિશે થોડું વિગતવાર લખ્યુ છે. જેથી શિક્ષિત વર્ગ આ વિચારધારાનું વૈજ્ઞાનિક પરિક્ષણ કરી તેની સત્ય હકીકતથી માહિતગાર થાય અને પોતાની નેચરવાદી માન્યતાઓની હકીકત સમજે, તથા કુર્‌આન શરીફ અને વિજ્ઞાન વચ્ચે દલીલોની સમાનતા અને મળતાપણુ પણ દર્શાવ્યું છે. પરંતુ વિજ્ઞાનમાં આ દલીલોનું ફક્ત વિદ્યા અને જ્ઞાન સ્વરૂપે વર્ણન છે, જ્યારે કુર્‌આન શરીફમાં બોધ સ્વરૂપે છે.

સાથે આ માન્યતાઓના ધાર્મિક તથા ઐતિહાસિક ઘટનાક્રમથી પણ માહિતગાર થવુ જરૂરી છે. જેનાથી આ પ્રકારની માન્યતાઓ પાછળ યહુદીઓની ખ્રિસ્તી ધર્મ અને ચર્ચ સાથેની નફરત તથા દ્વેષની ભાવનાઓના કારણો પણ જાણી શકાય છે. આ વિષયે નીચેનો લેખ ઘણો જ માહિતીસભર અને ચોંકાવનારો છે.

કેનેડામાં રહેતા હેન્રી મેકોવ નામના લેખકે “ઈલ્યુમિનેટી” નામના પુસ્તકમાં દેશોની સરકારો, મલ્ટીનેશનલ કંપનીઓ અને યુનો જેવી સંસ્થાઓના માધ્યમથી દુનિયાભરની પ્રજાને ગુલામ બનાવનારા અને તેમનું શોષણ કરનારા બેન્કરોના જુથની વાત કરી છે. આ બેન્કરો બધા યહૂદી છે. સ્વિટ્‌ઝર્લેન્ડ, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને ફેડરલ રિઝર્વ પણ તેમના અંકુશ હેઠળ છે. વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડની નીતિઓ પણ તેમના આદેશ મુજબ ઘડાય છે. યુનો, યુનિસેફ અને યુનેસ્કો જેવી સંસ્થાઓ પણ તેમના નિર્દેશો મુજબ ચાલે છે. દવાઓ બનાવતી, ખનિજ તેલનો ધંધો કરતી અને શસ્ત્રો બનાવતી મોટાભાગની કંપનીઓ પણ આ જૂથના કબ્જામાં છે. દુનિયાના દેશોની આર્થિક નીતિઓ પણ તેઓ નક્કી કરે છે. અમેરિકાના પ્રમુખ અને બ્રિટનના વડાપ્રધાન પણ તેમના ઈશારા ઉપર નાચે છે. અમેરિકાના જે પ્રમુખ તેમની નીતિઓ મુજબ કામ ન કરે, તેમની હત્યા કરી નાખવામાં આવે છે. આશરે એક ડઝન બેન્કરોનું બનેલું ‘ઈલ્યુમિનેટી’ નામનું જૂથ રિમોટ કન્ટ્રોલથી દુનિયા ઉપર રાજ કરે છે.

વિશ્વની પ્રજાને પોતાની ગુલામ બનાવીને તેમનું આર્થિક શોષણ કરવું એ “ઈલ્યુમિનેટી”નું મુખ્ય ધ્યેય છે. આ માટે તેઓ દુનિયાના દેશોની સરકારોને પોતાની ગુલામ બનાવે છે. આપણી ભારત સરકારની વાત કરીએ તો તે પણ સ્વતંત્ર નથી. આપણી આર્થિક નીતિઓ ભલે રિઝર્વ બેંક નક્કી કરતી હોય, પણ રિઝર્વ બેંક વિશ્વ બેંકના ઓર્ડર મુજબ જ કામ કરે છે. આપણી શિક્ષણ નીતિ ભલે કેન્દ્ર સરકારનું માનવ સંશાધન મંત્રાલય નક્કી કરતું હોય, પણ આ મંત્રાલય યુનેસ્કોના આદેશ મુજબ જ કામ કરે છે. ભારતની સ્કૂલોમાં સેક્સનું શિક્ષણ આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો, તે યુનેસ્કોની એક યોજનાના ભાગરૂપે જ લેવામાં આવ્યો હતો. ભારતના તમામ બાળકો શાળાઓમાં જે પાઠ્ય પુસ્તકો ભણે છે, તે યુનેસ્કોના આદેશ મુજબ જ તૈયાર કરવામાં આવે છે. આપણા દેશનો વેપાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના કાયદાઓ મુજબ જ ચલાવવામાં આવે છે. આ મુજબ જ આપણે આપણા કાયદાઓમાં ફેરફાર કરવા પડે છે. કેન્દ્ર સરકારનું આરોગ્ય ખાતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આદેશ મુજબ કામ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એમ કહે કે, સ્વાઈનફ્લૂ મહામારી છે, એટલે આપણે ફરજીયાત તે સ્વીકારી લેવું પડે છે. અને તે મુજબ દેશના નાગરિકોને દવાઓ અથવા રસીઓ આપવી પડે છે.

યહૂદી બેન્કરોના એક જૂથ દ્વારા જ આપણા ધર્મોને ખતમ કરવાની ચાલ ચાલવામાં આવે છે. આપણા શિક્ષણમાં વિદેશીઓના દોરીસંચાર હેઠળ એવા પાઠો ઘુસાડવામાં આવ્યા છે, જેથી બાળકોની ધર્મ ઉપર શ્રદ્ધા ઉઠી જાય અને તેઓ ધર્મગુરૂઓને ધિક્કારતા થઈ જાય. આ શિક્ષણ લેનારી નવી પેઢી નાસ્તિક બની રહી છે.

“ઈલ્યુમિનેટી” જૂથ આશરે છેલ્લા ર૦૦૦ વર્ષથી અસ્તિત્વમાં છે. ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ ઉપર (ખ્રિસ્તી માન્યતા પ્રમાણે) ચડાવનારા યહૂદીઓ પણ આ જૂથના સભ્યો હતા. વચ્ચે ૧૬૦૦ વર્ષ સુધી આ જૂથના અસ્તિત્વ બાબતમાં શંકા સેવાઈ રહી હતી. ૪૦૦ વર્ષ અગાઉ આ જૂથ ફરીથી સક્રિય બન્યું હતું. ખ્રિસ્તી ધર્મગુરૂઓની માન્યતા સામે બળવો પોકારનાર ગેલિલિયો પણ આ જૂથનો સભ્ય હતો. ગેલિલિયો અને કોપરનિક્સે દુનિયાના કેન્દ્રમાં પૃથ્વી હોવાની માન્યતાને ખોટી જણાવી રોમન કેથોલિક ચર્ચની સત્તા સામે પડકાર ફેંક્યો હતો. ચાર્લ્સ ડાર્વિન પણ “ઈલ્યુમિનેટી”નો સભ્ય હતો. તેણે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપીને ખ્રિસ્તી ધર્મની ઈશ્વર કર્તુત્વની થિયરીના પાયા હચમચાવી નાંખ્યા હતા. આ પ્રહારમાંથી ખ્રિસ્તી ચર્ચને હજી કળ વળી નથી. પ્રજા ઉપરની ધર્મગુરૂઓની પકડને ખતમ કરવામાં આ જૂથનો મોટો ફાળો છે.

કોઈ પણ પ્રજા ઉપર તેના દેશની સરકારની અને ધર્મની પકડ ખતમ થઈ જાય, એટલે તે મૂળ વગરનો બની જાય છે. “ઈલ્યુમિનેટી”જૂથ જગતમાં એવી પરિસ્થિતિ પેદા કરવા માંગે છે, જેમાં રાષ્ટ્રના અને ધર્મના સીમાડાઓ તૂટી જાય અથવા ઢીલા પડી જાય. રાષ્ટ્ર અને ધર્મ પછી આ જૂથનું નિશાન કૌમ છે. પ્રજાજનો ઉપર કૌમની અસર વ્યાપક હોય ત્યાં સુધી તેઓ બજારના પરિબળોની અસરમાં આવતા નથી. અને તેમનું આર્થિક શોષણ પણ કરી શકાતું નથી. ‘ઈલ્યુમિનેટી’સંસ્થાના હાથમાં દુનિયાના મુખ્ય પ્રચાર માધ્યમો છે. એપી અને રોઈટર જેવી સમાચાર સંસ્થા તેમના અંકુશમાં છે. ટીવીની મુખ્ય ચેનલો અને દુનિયાના મુખ્ય અખબારો પણ તેમના કાબૂમાં છે. આ પ્રચાર માધ્યમોનો ઉપયોગ તેઓ કૌમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે અને કૌમને બદનામ કરવા માટે કરે છે. આ જૂથનો પ્રભાવ શિક્ષણની સંસ્થાઓ પર પણ છે. આ સંસ્થાઓમાં બાળપણથી એવું શિક્ષણ આપવામાં આવે છે કે, કૌમ અને જ્ઞાતિ સંસ્થાઓ ખરાબ છે.

કોઈ વ્યક્તિ તેના રાષ્ટ્રના, કૌમના અને ધર્મના અંકુશમાંથી નીકળી જાય તે પછી પણ તેના પરિવારનો તેના ઉપર અંકુશ રહે છે. માણસ જ્યાં સુધી પરિવારનું પીઠબળ ધરાવતો હોય, ત્યાં સુધી તેનું આર્થિક શોષણ કરવું મુશ્કેલ બની જાય છે. “ઈલ્યુમિનેટી” જૂથનું ટાર્ગેટ ફેમિલી સિસ્ટમ પણ છે. દુનિયાના દેશોમાં છૂટાછેડાને પ્રોત્સાહન આપતા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તે આ જૂથના આડકતરા પ્રભાવ હેઠળ જ બનાવવામાં આવ્યા છે.   (ગુજરાત સમાચાર : શનિવાર, ૧૪ ઓગષ્ટ ર૦૧૦)

મીનીસોટાની એક કોલેજ (gustarus Adolphus college)માં ઓક્ટોબર ૧૯૮૯ના એક સેમીનાર થયો. તેનો વિષય હતો વિજ્ઞાનનો અંત (the end of science). આ સેમીનારના આયોજકોએ તે પરિચયપત્રમાં લખ્યું હતું કે, જ્યારે આપણે આજની દુનિયાનું વાંચન કરીએ છીએ, તો ફલિત થાય છે કે, આપણે વિજ્ઞાનના અંતિમયુગમાં પ્રવેશી ચૂક્યા છે.

આ નવી વિચારધારાનો પ્રારંભ ૧૯૬૦માં અમેરીકાથી થયો, જ્યારે Daniel bellનુ પુસ્તક દ્રષ્ટિકોણ અને વિચારધારાનો અંત (end of ideology) પ્રગટ થયું. ત્યાર બાદ ૧૯૮૯માં ,francis fukuyama, ના ઈતિહાસનો અંત ‘the end of history’ નામી પુસ્તકે આ વિષયને પુનઃ જીવંત કર્યો. આજકાલ અમેરીકામાં ઘણા પુસ્તકો પ્રગટ થઈ રહ્યા છે. જેનો વિષય અને શિર્ષકો વિજ્ઞાન, કોમ્યુનિઝમ, વેસ્ટનિઝમ, નેશનાલિઝમ અને આયડીયલોજીનો અંત વગેરે છે.

આધુનિક વિજ્ઞાનની પ્રગતિ પછી માનવીએ એમ સમજી લીધું કે તેણે જગતની રચના અને નિર્માણનો છેલ્લો જાદુઈ નુસ્ખો પામી લીધો છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીથી તે વૈભવશાળી, શાંતિમય, રળિયામણું, આનંદિત જીવન વિતાવશે, જેનું સ્વપ્ન માનવી હઝારો વર્ષથી જોઈ રહ્યો હતો. પરંતુ વિજ્ઞાનના અમલી અને કાર્યરિત વપરાશ પછી તેનું સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું. વિજ્ઞાન ઘણી પ્રગતિ તો લાવ્યુ, પરંતુ સાથે તેણે ઘણા વિકટ પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા. તેણે યુદ્ધની ખુવારીનું પ્રમાણ વધારી દીધુ. પહેલુ અને બીજુ વિશ્વયુદ્ધ અને ત્યાર પછીના યુદ્ધો સંપૂર્ણપણે મોર્ડન ટેકનોલોજીનું જ પરિણામ હતું. ભૂતકાળના સઘળા નુકસાનોથી વધારે નુકસાન તેણે સર્જયું. તે સિવાય જીવનની પ્રત્યેક બાબતોમાં એવી ગુંચવડો અને વિકટ સમસ્યાઓ સર્જી, જેનું કોઈ સમાધાન જણાતુ નથી. આ કડવા અનુભવ પછી વિશ્વભરમાં ધર્મ તરફ પ્રયાણની નવી પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. આ બાબતે માનવી સઘળા ધર્મોનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક વાંચન કરી ચૂક્યો છે. પરંતુ તેણે જોયું કે, બધા જ મોટા મોટા ધર્મો ઈતિહાસના માપદંડ ઉપર પૂરા ઉતરતા નથી. હવે ફક્ત ઇસ્લામ જ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક રીતે મોર્ડન યુગથી તાલ મેળવી શકે છે.

વૈજ્ઞાનિક ભૌતિક સુખની અમુક તે બાબતો વિચારવી પડશે, જેને લઈ આ બધી જ સુખ અને આનંદમય સાધન સામગ્રીઓ છતાં આજે માનવસમાજ આત્માની દૃષ્ટિએ જેટલો દુઃખી અને પરેશાન છે, કદાચ પાછલી સદીઓમાં નહીં હોય. એનું કારણ વૈજ્ઞાનિક પ્રગતિ નથી, પરંતુ તેની લગામ જે લોકો (યુરોપ અને અમેરીકા)ના હાથમાં છે, તેમણે તેમાં પોતાની સ્વચ્છંદતા અને મનેચ્છાવાદી સંસ્કૃતિની વિજ્ઞાન સાથે ભેળસેળ કરી નાંખી છે. જેમાં અલ્લાહ તઆલાની યાદ, સ્મરણ, ઉપાસના (બંદગી) અને તેની સાથે પોતાનો આત્મિય સબંધ કમજોર થઈ ગયો. એક ફ્રાન્સીસી વૈજ્ઞાનિકના શબ્દોમાં માનવીએ વિજ્ઞાનિક પ્રગતિ કરી, પરંતુ પોતાના સર્જક અને માલિક એક અલ્લાહપાકને તે ભૂલી ગયો. જેના કારણે તે આત્મિય રીતે અશાંતિમાં જીવી રહ્યો છે. કુર્‌આન શરીફની પહેલી વહીના એક જ શબ્દમાં આ હકીકત તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે કે, પઢો-ભણો, પોતાના પાલનહારના નામથી, જેણે જન્મ આપ્યો. એટલે કે પાલનહારના નામના સ્મરણ અને યાદી સાથે જો જ્ઞાન મેળવશો, તો તે ફળદાયક નિવડશે. અને જો તેને ભૂલીને જ્ઞાન મેળવશો, તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે. જે આજે આપણે ભોગવી રહ્યા છીએ. માટે વિજ્ઞાનથી આપણે એ અભિલાષા રાખીએ કે, તે જો પોતાના સર્જક અને માલિકના સ્મરણ અને યાદ સાથે હશે, તો માનવસમાજમાં જે અશાંતિ સર્જાયેલી છે, તેનો અંત આવશે.

આભાર :

આ ખુશીના મોકા ઉપર હું અઝીઝમ મવ. રશીદ અહમદ મનુબરી સાહબનો ઘણા અંતઃકરણથી આભાર માનુ છું કે, એમણે કિતાબના સંપાદનમાં અનથક કોશિષ અને મહેનત કરી એક એક અકીદા માટે આપે ખૂબ ખૂબ જફાકશી કરી. સાથે કિતાબના મહત્વ અને બોજદાયક કામ પ્રૂફ રીડીંગમાં હંમેશની જેમ પરિશ્રમ કરવા બદલ પણ આપનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરૂં છું. અલ્લાહપાક એમની તથા મુજ ગુનેહગારની તેના દીનને લગતી કોશિષોને કબૂલ ફરમાવી એમના ઈલ્મો અમલમાં ખૂબ ખૂબ બરકતો અતા ફરમાવે, આમીન.

Log in or Register to save this content for later.