Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 139 - 140)
જે માણસ ઉપર હજ ફર્ઝ થઈ ગઈ અને અદા કરવાનો સમય મળવા છતાં હજ અદા ન કરી તો તેના ઉપર હજ કરાવ– વાની વસિય્યત કરવી વાજિબ છે. વસિય્યત કર્યા વગર મરણ થશે તો ગુનેહગાર થશે.
મસ્અલોઃ જે વર્ષે હજ ફર્ઝ થઈ, તે વર્ષે મરણ પામ્યો અથવા તે વર્ષે હજ અદા કરવા ગયો. અને રસ્તામાં મરણ પામ્યો તો વસિય્યત કરવી જરૂરી નથી.
મસ્અલોઃ મરનારે વસિય્યત નથી કરી અને વારિસ પોતાની રાજી–ખુશીથી અથવા કોઈ સગાએ મરનાર તરફથી હજ કરી અથવા કરાવી તો મરનાર તરફથી ફર્ઝ હજ અદા થઈ જશે.ઈન્શાઅલ્લાહ.
મસ્અલોઃ વસિય્યત માલના ત્રીજા ભાગમાં ચાલશે. ત્રીજા ભાગથી વધારે ખર્ચ થાય અને વારિસો પોતાની રાજી–ખુશીથી વધુ ખર્ચ આપે તો જાઈઝ થશે.
મસ્અલોઃ માલના ત્રીજા ભાગમાં ગુંજાઈશ હોય તો મય્યીતના વતનથી જ હજ કરાવવી જોઈએ અને જો ત્રીજા ભાગથી ઓછો છે, વતનથી હજ થઈ શકતી નથી તો જ્યાંથી થઈ શકે ત્યાંથી હજ કરાવવી જોઈએ.
મસ્અલોઃ મય્યીત તરફથી જે માણસ હજ માટે ગયો હતો, તેનું અરફાતમાં થોભવા બાદ મરણ થયું, તો મય્યીતની ફર્ઝ હજ અદા થઈ ગઈ.
Log in or Register to save this content for later.