હજનો પાંચમો દિવસ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 135 )

જો કુર્બાની અથવા તવાફે ઝિયારત ૧૧મી ઝિલ્હજ્જના પણ ન કરી શકયો તો આજે કરી લે. આજનું અસલ કામ ફકત ત્રણેવ શયતાનને કાંકરી મારવાનું છે. બપોર (ઝોહર) પછી ત્રણેવ શયતાનને તે પ્રમાણે કાંકરી મારે, જેમ ગઈકાલે (૧૧ ઝિલ્હજ્જના) કર્યું હતું. હવે ૧૩ તારીખની રમી માટે ઈખ્તિયાર છે, ચાહે મક્કા મુકર્રમહ ચાલ્યો જાય, ચાહે મિનામાં રહે. પરંતુ જો મિનામાં ૧૩મી સવાર થઈ ગઈ તો ૧૩મીની રમી વાજિબ થશે. નહીં તો દમ લાગુ પડશે. ૧૩મીની રમીમાં સહુલત છે કે, ઝવાલ (બપોર) પહેલાં પણ કાંકરી મારવી જાઈઝ છે.

Log in or Register to save this content for later.