Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 134 - 135)
૧૦ અને ૧૧મી ઝિલ્હજ્જની રાતો મિનામાં પસાર કરવી સુન્નતે મુઅક્કદહ છે. મિનાથી બહાર બીજી કોઈ જગ્યાએ રાત પસાર કરવી મના છે.
જો કુર્બાની અથાવ તવાફે ઝિયારત કોઈ કારણથી દસ તારીખના નથી કરી શકયો તો આજે ૧૧મી ઝિલ્હજ્જના કરી લે. અને બેહતર છે કે ઝુહર પહેલાં ફારિગ થઈ જાય. ઝુહરની નમાઝ બાદ ત્રણેવ શયતાનને કાંકરી મારવા રવાના થાય.
આજનો મુસ્તહબ ટાઈમ ઝુહરથી લઈ સૂર્યાસ્ત સુધી છે. સૂર્ય આથમવા બાદ મકરૂહ છે. પરંતુ ૧રમી ઝિલ્હજ્જની સુબ્હે સાદિકથી પહેલાં રમી કરી લીધી તો અદા થઈ જશે. દમ લાગુ નહીં પડે. અને જો ૧રમીની સવાર થઈ ગઈ તો હવે ૧૧મી તારીખની રમીનો સમય ચાલ્યો ગયો. હવે તેની કઝા અને દમ લાગુ પડશે. એટલે કે ૧રમીની રમી પણ કરે. અને ૧૧મીની છૂટેલી કાંકરીઓ પણ મારે અને કઝા કરવાને લઈ દમ (કુર્બાની) પણ આપે.
પ્રથમ અને બીજા શયતાનને કાંકરી માર્યા બાદ દુઆ અને ઈસ્તિગફાર કરે. ત્રીજા શયતાનને કાંકરી માર્યા બાદ દુઆ માટે ન થોભે, કારણકે એ સુન્નતથી સાબિત નથી.
આજનું આ કામ પુરૂ થયું. હવે પોતાના તંબૂમાં આવી જાય અને ઝિક્ર, દુઆ, તિલાવત વગેરેમાં દિવસ પસાર કરે. ગફલત અને ફુઝૂલ કામોમાં સમય પસાર ન કરે.
Log in or Register to save this content for later.