મસ્જિદે નબવીﷺ માં ૪૦ નમાઝો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 186)

મદીના મુનવ્વરહમાં રહેવા દરમિયાન સૌથી વધારે ફઝીલતવાળો અમલ આ છે કે આપ સ.અ.વ. પર હર વખત દુરૂદ શરીફ પઢતો રહે. અને બધી નમાઝો મસ્જિદે નબવીના અંદર પઢવાની કોશિશ કરે. ઈબ્ને માજહની રિવાયત પ્રમાણે મસ્જિદે નબવીમાં એક નમાઝ અદા કરવાનો સવાબ પચાસ હજાર નમાઝોનો છે.

હઝરત અનસ રદી.થી રિવાયત છે કે, આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે, જે માણસ મારી મસ્જિદમાં લગાતાર ૪૦ નમાઝો પઢશે, એવી રીતે કે એક પણ નમાઝ ન છૂટે તો તેના માટે [૧] જહન્નમથી છૂટકારો, [ર]અલ્લાહના અઝાબથી છૂટકારો અને [૩] નિફાકથી (જાહેરમાં મુસલમાન અને અંદરખાને કાફિર) મુકત હોવાનું લખી દેવામાં આવે છે. [મુસ્નદે અહમદ : હદીષ નં. ર૪૦પ૩] Log in or Register to save this content for later.