Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 91 - 92)
પહેલો દિવસ (આઠમી ઝિલ્હજ્જ) :
ઝિલ્હજ્જની ૮મી તારીખથી હજના અરકાનો શરૂ થઈ જાય છે. ૮મીના સૂર્ય ઉગ્યા પછી એહરામની હાલતમાં બધા હાજીઓએ મિના જવાનું છે.
મુફરિદ અને કારિનનો એહરામ તો પહેલેથી બાંધેલો છે, પરંતુ મુતમત્તિઅ, જેણે ઉમરહ કરીને એહરામ ખોલી નાંખ્યો હતો, એ જ પ્રમાણે હરમવાસીઓ આજે એહરામ બાંધશે. તો સુન્નત પ્રમાણે ગુસલ કરી એહરામની ચાદરો પહેરી મસ્જિદમાં આવે અને મુસ્તહબ છે કે, તવાફ કરે અને તવાફની બે રકાઅત નમાઝ પઢે અને હજની નિય્યત આ પ્રમાણે કરે :
અય અલ્લાહ ! હું આપની રઝામંદી માટે હજનો ઈરાદો કરૂં છું. આપ મારા માટે એને આસાન કરી કબૂલ કરો. આ નિય્યત સાથે તલ્બિયહ પઢે :
لَبَّیْکَ اَللّٰہُمَّ لَبَّیْکَ لَبَّیْکَ لَا شَرِیْکَ لَکَ لَبَّیْکَ اِنَّ اَلْحَمْدَ وَالنِّعْمَۃَ لَکَ وَالْمُلْکَ لَا شَرِیْکَ لَکَ
લબ્બયક અલ્લાહુમ્મ લબ્બયક,લબ્બયક લાશરીકલક લબ્બયક,ઈન્નલહમ્દ વન્નિઅમત લક વલ્મુલ્ક લા શરીક લક.
તલ્બિયહ પઢતાં જ એહરામ શરૂ થઈ ગયો. હવે એહરામની બધી જ પાબંદીઓ જરૂરી થઈ ગઈ. ત્યારબાદ મિના માટે રવાના થાય.
આજકાલ મુઅલ્લિમો ભીડને કારણે સહુલત માટે રાતના જ બસોમાં મિના રવાના કરી આપે છે. અને ફજરની નમાઝ ત્યાં પઢવામાં આવે છે. તો સહુલત અને ભીડથી બચવા તથા શાંતિથી પોતાના તંબૂમાં સ્થાયી થઈ જવા માટે રાત્રે પણ જઈ શકાય છે. જેથી ઝોહર પહેલાં આરામ પણ મળી રહે.
Log in or Register to save this content for later.