રમીની ભૂલો બાબત

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 153 to 155)

મસ્અલોઃ એક દિવસની પુરેપૂરી રમી છોડી અથવા વધુ કાંકરી મારવાનું છોડી આપે તો દમ વાજિબ થશે.

૧૧મી ઝિલ્હજ્જના એકવીસ કાંકરીમાંથી અગિયાર કાંકરી છોડી આપી તો દમ વાજિબ થશે. અગર એક દિવસથી પણ વધુ અથવા ચારેવ દિવસની રમી છોડી આપી તો પણ એક જ દમ વાજિબ થશે.

મસ્અલોઃ ૧૩મી ઝિલ્હજ્જની રમી સુબ્હે સાદિક થવાથી વાજિબ છે. સવાર થઈ જવા પછી મક્કહ મુકર્રમહ ચાલ્યો ગયો. રમી છોડી આપી તો દમ વાજિબ થશે.

નોંધઃ જે જે મસાઈલમાં દમ વાજિબ છે તે દમને હરમની હદમાં ઝબ્હ કરવુ જરૂરી છે. હરમની બહાર ઝબ્હ કરવુ જાઈઝ નથી.

મસ્અલોઃ દમના ગોશ્તને ફકીરોમાં સદકો કરવુ જરૂરી છે. પોતે ખાવુ અથવા માલદારને ખવડાવવુ જાઈઝ નથી.

મસ્અલોઃ કોઈ માણસ નાદાર ફકીર છે. દમ અદા નથી કરી શકતો તો એ દમ લાચારી, ફકીરી, મજબૂરીને લઈ ખતમ થશે નહીં. જ્યારે પણ માલ મળે એ દમને અદા કરે. આ ત્યારે છે, જ્યારે આ ભૂલ ઉઝર વગર કરી હોય અને દમ આપવા શકિતમાન નથી, પરંતુ જો આ (જીનાયત) ભૂલ જેનાથી દમ વાજિબ થયો, ઉઝરને લઈ થઈ હશે તો દમ અને સદકહની જગ્યાએ ત્રણ રોઝા રાખવાથી પણ વાજિબ અદા થઈ જશે.

મસ્અલોઃ એહરામની (જીનાયત) ભૂલમાં કારિન ઉપર બે દમ વાજિબ થશે તેમજ બે સદકહ કારણકે તેના બે (હજ, ઉમરહ) એહરામ છે, પરંતુ કારિન મિકાતથી એહરામ વગર આગળ વધશે તો એક દમ વાજિબ થશે.

મસ્અલોઃ કારિન હજ્જના વાજિબ છોડશે તો એક દમ વાજિબ થશે.

મસ્અલોઃ જિનાયતના દમની કિંમત અદા કરવાથી વાજિબ અદા થશે નહીં, બલ્કે જાનવરની કુર્બાની હરમમાં કરવી જરૂરી છે. હાં, જ્યાં દમ અથવા ખાવુ ખવડાવવાનો ઈખ્તિયાર શરીઅતે આપેલો છે ત્યાં દમની કિંમત આપવાથી પણ વાજિબ અદા થઈ જશે.

Log in or Register to save this content for later.