તવાફના ચકકરોમાં વધારો-ઘટાડો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 71)

જો કોઈએ ઈરાદાપૂર્વક આઠમો ચક્કર પણ કરી લીધો, તો પછી છ ચક્કર બીજા કરી પુરો તવાફ કરવો વાજિબ છે. આ બે તવાફ ગણાશે.

જો કોઈ નેક વ્યકિત તવાફ કરવામાં સાથે છે. અને તે ચક્કરોની ગણત્રી ઓછી બતાવે તો તેની વાત પર અમલ કરવો મુસ્તહબ છે. અને જો બે નેક માણસો બતાવે તો તેમની વાત ઉપર અમલ કરવો વાજિબ છે.

જો ફર્ઝ તવાફ (ઝિયારત અથવા ઉમરહનો તવાફ)માં ચક્કરોની સંખ્યામાં શક થઈ પડે તો પુરો તવાફ ફરીથી દોહરાવી લે. અને વાજિબ તવાફના ચક્કરોમાં શક થઈ જાય તો જે ચક્કરોમાં શંકા હોય તેને દોહરાવી લે. સુન્નત અને નફલ તવાફમાં શક થઈ જાય તો જેના તરફ વધુ ખ્યાલ (ગુમાન) હોય તેના ઉપર અમલ કરી તેટલા ચક્કર સમજે.

Log in or Register to save this content for later.