Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 151 to 153)
મસ્અલોઃ તવાફે ઝિયારતના સાતેવ ચક્કરો અથવા વધુ ચક્કર વુઝૂ વગર કર્યા તો દમ વાજિબ થશે.
મસ્અલોઃ તવાફે કુદૂમ, તવાફે વિદાઅ, તવાફે નફલ અને તવાફે ઝિયારત (ના અડધાથી ઓછા એટલે કે ત્રણ ચક્કર) વુઝૂ વગર કર્યા તો દરેક ફેરા માટે સદ્કએ ફિત્ર જેટલો વાજિબ થશે.અને આ તમામ સૂરતોમાં વુઝૂ કરી બીજીવાર તવાફ કરવાથી કફફારો અને દમ ખતમ થઈ જશે.
મસ્અલોઃ તવાફે ઝિયારતના સાતેવ ચક્કરો અથવા વધુ ચક્કરો નાપાકીની હાલતમાં કર્યા તો ઊંટ કે ગાય વાજિબ થશે.
મસ્અલોઃ તવાફે કુદૂમ, તવાફે વિદાઅ તેમજ નફ્લ તવાફ નાપાકીની હાલતમાં કરવાથી બકરી વાજિબ થશે. અને સર્વે સૂરતોમાં પાક થઈ ફરી તવાફ કરવાથી દમ તેમજ કફફારો ખતમ થઈ જશે.
મસ્અલોઃ જે તવાફ નાપાકીની હાલતમાં કર્યા છે તેને ફરી કરવા જરૂરી છે. અને વુઝૂ વગર કર્યો હોય તેને ફરીવાર કરવુ મુસ્તહબ છે. ફરી તવાફ નહીં કરશે તો ઉપર મુજબની સજા વાજિબ થશે.
મસ્અલોઃ પહેલા તવાફ પછી સઈ કરી ચૂકયો હોય, તો સઈ દોહરાવવાની જરૂરત નથી.
મસ્અલોઃ તવાફે ઝિયારત વુઝૂ વગર કર્યા પછી તવાફે વિદાઅ ઈદના દિવસોમાં કરવાથી વિદાઅનો તવાફ ઝિયારતના તવાફની જગ્યાએ સહીહ થઈ જશે. અને ઈદના દિવસો બાદ કરવાથી દમ વાજિબ થશે.
મસ્અલોઃ તવાફે કુદૂમ અથવા વિદાઅનો એક ચક્કર અથવા બે ચક્કર અથવા ત્રણ ચક્કર છોડી આપ્યા, તો દરેક ચક્કરના બદલે સદકો વાજિબ થશે અને ચાર અથવા વધુ ચક્કર છોડવાથી દમ વાજિબ થશે.
મસ્અલોઃ તવાફે કુદૂમ પુરેપૂરો છોડવાથી કંઈ વાજિબ નથી, પરંતુ છોડવુ ખરાબ છે.
મસ્અલોઃ તવાફે કુદૂમ શરૂ કર્યા પછી છોડી દીધો તો વધુ ચક્કર છોડવાથી દમ છે. અને ઓછા ચક્કર છોડવાથી દરેક ચક્કરના બદલે સદકો વાજિબ થશે. નફ્લ તવાફનો હુકમ કુદૂમના તવાફ જેવો છે.
Log in or Register to save this content for later.