Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 51 -52)
કુર્આન શરીફ અને હદીષ શરીફમાં તવાફની ઘણી ફઝીલતો દર્શાવવામાં આવી છે.
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રદી. ફરમાવે છે કે, આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે, અલ્લાહ તઆલા કાબા શરીફ ઉપર હર ઘડી એકસો વીસ (૧ર૦) રહમતો ઉતારે છે. જેમાંથી સાઠ (૬૦) તવાફ કરવાવાળા ઉપર અને ચાલીસ (૪૦) નમાઝ પઢનારા ઉપર અને વીસ (ર૦) કાબા શરીફને જોવાવાળાઓ ઉપર. [તબરાની]
મક્કા મુકર્રમહના રોકાણ દરમ્યાન જેટલા બની શકે તેટલા તવાફ કરવા જોઈએ. આ નેઅમત ફકત હરમ શરીફમાં જ મળી શકે છે. માટે વધુ વખત તવાફમાં અને કાબા શરીફને જોવામાં ગુઝારવો જોઈએ.
Log in or Register to save this content for later.