નાના બાળકોના એહરામના મસાઈલ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 46 - 47)

મસ્અલોઃ નાની ઉંમરના બાળકો પોતે હોશિયાર અને સમજદાર છે તો તે પોતે એહરામ બાંધે અને સમજદાર નથી તો તેના વાલી તેના તરફથી એહરામ બાંધે. એ જ પ્રમાણે જે અરકાન બાળક અદા કરી શકે છે તે કરે અને બીજા અરકાન વાલી કરે. પરંતુ તવાફની બે રકાઅત બાળક પાસે પઢાવે, વાલી ન પઢે. સમજદાર ન હોય તેવા બાળકને ખોળામાં ઉઠાવી તવાફ કરે અને સમજદાર પોતે તવાફ, સઈ, રમી, વુકૂફે અરફાત વગેરે કરે.

મસ્અલો : વાલીએ બાળકને બની શકે ત્યાં સુધી એહરામની હાલતમાં મના કરેલી વસ્તુઓથી બચાવવો જોઈએ, પરંતુ જો કોઈ મના કરેલ કામ બાળક કરી લેશે તો તેનો કોઈ બદલો (દમ, સદકો) ન બાળક પર લાગુ પડશે, ન વાલી પર લાગુ પડશે. બલ્કે માફ થઈ જશે.

મસ્અલો : બાળક ઉપર હજ ફર્ઝ નથી. માટે આ હજ નફલી ગણાશે.

Log in or Register to save this content for later.