Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 145 to 147)
મસ્અલોઃ જો ખુશ્બૂ ખાવામાં મિલાવી ખાવુ પકાવવામાં આવ્યુ હોય તો તે ખાણુ ખાવાથી કાંઈ વાજિબ નથી. ચાહે ખુશ્બૂ આવી રહી હોય અને વધારે કેમ ન હોય. જો ખાવા પકાવવા બાદ ખુશ્બૂ નાંખી હોય જેમકે મસાલો, ઈલાયચી વગેરે તો એવા ખાણાથી પણ કાંઈ વાજિબ નથી. ચટણી, અચાર વગેરે જેમાં ખુશ્બૂ નાંખી હોય, પરંતુ પકાવવામાં ન આવી હોય અને ખુશ્બૂનું પ્રમાણ વધારે છે, તો વધારે ખાવાથી દમ વાજિબ થશે.
મસ્અલોઃ અગર કોઈ માણસે વધુ પ્રમાણમાં જઅફરાન જેવી ખુશ્બૂ ખાધી અને મોઢાના વધુ ભાગમાં ખુશ્બૂ લાગી ગઈ તો દમ વાજિબ છે. અને મોઢાના વધુ ભાગમાં નહીં લાગી તો સદકો વાજિબ છે.
મસ્અલોઃ ઠંડા પીણા જેમકે સોડા, લેમન વગેરેનું શરબત જો ખુશ્બૂ ન હોય તો પીવુ જાઈઝ છે અને જો ખુશ્બૂ મેળવેલી છે, પરંતુ થોડી છે તો સદકો વાજિબ થશે. પરંતુ એક મજલિસમાં વારંવાર ખુશ્બૂવાળી વસ્તુ પીવાથી દમ વાજિબ થશે. અને વધુ ખુશ્બૂ હોવાની સૂરતમાં એક વખતે પણ વધુ પ્રમાણમાં પીવાથી વાજિબ થશે.
મસ્અલોઃ હજરે અસ્વદ ઉપર ખુશ્બૂ લાગેલી હોય અને એહરામવાળાએ તેને ચુંબન કર્યું, જેનાથી ખુશ્બૂ મોઢા તથા હાથમાં લાગી ગઈ, જો વધુ લાગશે તો દમ વાજિબ થશે અને થોડીક લાગશે તો સદકો વાજિબ થશે.
મસ્અલોઃ માથુ, દાઢી, હાથ ઉપર મહેંદી પૂરા ભાગ અથવા ચોથા ભાગ ઉપર લગાડી, જો મહેંદી આછી–આછી લગાડી તો એક દમ વાજિબ થશે. એક ખુશ્બૂને લઈ અને બીજી માથુ છુપાવવાના કારણે. પરંતુ સ્ત્રી ઉપર એક જ દમ આવશે. ઔરતને પોતાનું માથુ છુપાવવુ ફર્ઝ છે અને આ દમ ત્યારે છે, જ્યારે કે (૧ર કલાક) લાગેલી રહે અગર પૂરી રાત નહીં લગાડી તો મર્દ ઉપર એક દમ અને સદકો વાજિબ થશે અને ઔરત પર ખુશ્બૂને લઈ દમ વાજિબ થશે.
મસ્અલોઃ પુરી હથેળી ઉપર મહેંદી લગાડવાથી દમ વાજિબ થશે.
મસ્અલોઃ પાનમાં ખુશ્બૂવાળુ તંબાકુ, ઇલાયચી ખાવી મકરૂહ છે. મસાઈલની કિતાબોના અમુક શબ્દોથી એમ લાગે છે કે એનાથી દમ વાજિબ થાય છે. માટે એનાથી બચવાની જરૂરત છે.
મસ્અલોઃ ખુશ્બૂદાર સુરમો એક, બે વાર લગાડવાથી સદકો વાજિબ થાય છે. અને ખુશ્બૂ વગરનો સુરમો લગાડવામાં કાંઈ વાંધો નથી.
Log in or Register to save this content for later.