Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 141 to 143)
હરમ શરીફ અથવા એહરામની હાલતમાં જે જે કામો નાજાઈઝ અને હરામ છે, તે કામો કરવાને જિનાયત કહેવામાં આવે છે.
જિનાયતના બે પ્રકાર છે :
૧. એહરામની જિનાયત (ભૂલો) જે કામો એહરામની હાલતમાં કરવાની મનાઈ છે તે કરવા.
ર. હજના વાજિબો છોડી દેવા અથવા તેને અદા કરવામાં કમી કરવી. એહરામની ભૂલો આઠ પ્રકારની છે.
(૧) મર્દોએ સીવેલા કપડાં પહેરવા.
(ર) મર્દોએ માથુ અને મોઢુ છુપાવવું. સ્ત્રીઓએ ફકત મોઢુ છુપાવવું.
(૩) ખુશ્બૂ લગાડવી.
(૪) શરીરના કોઈપણ ભાગના વાળ દૂર કરવા.
(પ) નખ કાપવા.
(૬) શરીર પરથી જૂ મારવી અથવા શરીરથી અલગ કરવી.
(૭) પોતાની પત્ની સાથે સંભોગ કરવો અથવા શહવત (આવેશમાં આવી)થી ચુંબન અથવા શહવત સાથે પત્નીને પકડવી અથવા દબાવવી.
(૮) જમીન પર રહેનાર જાનવરોનો શિકાર કરવો.
નોંધઃ એહરામની ભૂલો બીજી ઈબાદતોની ભૂલોથી અલગ પ્રકારની છે. એહરામની વિરૂદ્ધ કોઈપણ નાજાઈઝ કામ અભણતાથી કે ઈરાદાપૂર્વક, રાજીખુશીથી, ભૂલથી, ઝબર– દસ્તીથી, સુવાની હાલતમાં કે જાગતાની હાલતમાં, હોશમાં અથવા બેહોશીમાં, માલદારીના ઘમંડમાં કે ફકીરીની લાચારીમાં અથવા મજબૂરીથી પોતે કરે કે કોઈની પાસે કરાવે. દરેક હાલતમાં ભૂલ થવાથી સજા વાજિબ થશે. મર્દ અને ઔરત બંનેવનો હુકમ એક છે. પરંતુ લાચારી અને મજબૂરી બિમારીથી કરવાને લઈ ગુનેહગાર થશે નહીં. પરંતુ સજા તો લાગુ પડશે અને લાચારી, બિમારી, વગર કરવાથી ગુનેહગાર થશે અને સજા પણ લાગુ પડશે.
મસ્અલોઃ કોઈ માલદાર માણસ જાણી જોઈને ભૂલ કરી બદલો આપી દેશે તો તે સખ્ત ગુનેહગાર થશે. અને તેની હજ્જે મબરૂર (નેકી અને સવાબવાળી) ગણાશે નહીં. અને ઉઝર વગર કરવામાં જે સજા નક્કી છે, તે જ ભોગવવી પડશે. સદકો કે રોઝા રાખવા જાઈઝ નથી. પરંતુ ઉઝરને લઈ ભૂલ કરવાથી દમ તેમજ રોઝા સદકો આપવો પણ જાઈઝ છે.
મસ્અલોઃ ભૂલોની સજા તરત જ અદા કરવી જરૂરી નથી. મરણ પહેલાં અદા કરવી જરૂરી છે. અગર અદા ન કરી શકયો તો વસિય્યત કરવી જરૂરી છે. વસિય્યત નહીં કરી અને વારિસો મરનાર તરફથી અદા કરી આપે તો ઈન્શાઅલ્લાહ અદા થઈ જશે, પરંતુ વારિસ પોતાના તરફથી રોઝા રાખી શકતો નથી.
. સજામાં વપરાતા શબ્દો વિષે ખુલાસો .
દમઃ જ્યાં જ્યાં દમ શબ્દ બોલવામાં આવે છે ત્યાં બકરી, ઘેટું, દુમ્બો તેમજ ગાય, ભેંસ કે ઊંટનો સાતમો ભાગ સમજવો જોઈએ અને જાનવરોમાં તે સર્વે શર્તો હોવી જરૂરી છે. જે કુર્બાનીના જાનવરમાં હોવી જોઈએ.
બુદનહઃ આ શબ્દ જ્યાં જ્યાં બોલવામાં આવે છે, ત્યાં મોટુ આખુ જાનવર ગાય અને ઊંટ હોય છે.
બુદનહ ફકત બે જગ્યાએ વાજિબ છે. (૧) હૈઝ, નિફાસ અને જનાબત (નાપાકી)ની હાલતમાં તવાફે ઝિયારત કરવું. (ર) અરફાતના મેદાનમાં થોભવા પછી માથાના વાળ મુંડાવવા પહેલાં પત્ની સાથે સંભોગ કરવો.
સદકહઃ સદકહનો શબ્દ જ્યાં બોલવામાં આવે ત્યારે સદકએ ફિત્ર બરાબર અનાજ (પોણા બે કિલો ઘઉં) સમજવું. કોઈકવાર સદકહના શબ્દથી મુઠ્ઠી બરાબર અનાજ કે રોટીના ટુકડા બરાબર અનાજ પણ સમજવામાં આવે છે.
Log in or Register to save this content for later.