જુમ્આની નમાઝ અદા થવાની શરતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 132)

જુમ્આની નમાઝ અદા થવાની પણ શરતો છે. અદા થવાની અને વાજિબ થવાની શરતોમાં તફાવત એ છે કે, જ્યાં સુધી અદા કરવાની શરતો મળી ન આવે, ત્યાં સુધી જુમ્આની નમાઝ દુરૂસ્ત થશે નહીં. તે શરતો નીચે પ્રમાણે છે :

  • શહેર અથવા શહેર સમાન મોટું ગામ કે કસ્બો હોય. નાના ગામડાં કે જંગલમાં જુમ્આની નમાઝ દુરૂસ્ત નથી.
  • ઝોહરનો વખત હોવો. ઝોહરના વખત પહેલાં કે તે પછી જુમ્આની નમાઝ દુરૂસ્ત નથી.
  • નમાઝ પહેલાં ખુત્બો પઢવો.
  • ઈમામ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ માણસો જે ઈમામ બની શકે તેવા અને ખુત્બો શરૂ થાય ત્યારથી પહેલી રક્‌અતના સિજદહ સુધી હોવા જરૂરી છે.
  • ઈઝને આમ એટલે કે, દરેકને (આમ માણસોને) નમાઝમાં આવવાની છુટ અને પરવાનગી હોવી. જેણે આવવું હોય તે આવીને નમાઝમાં શરીક થઈ શકે.

જુમ્આની નમાઝ દુરૂસ્ત થવા માટે જે શરતો છે, એમાંની એક પણ શરત વિરૂદ્ધ જો નમાઝ પઢવામાં આવશે, તો નમાઝ દુરૂસ્ત થશે નહીં. ફરીથી તેણે ઝોહરની નમાઝ પઢવી પડશે. અને શરત છોડવાથી આ પહેલી નમાઝ નફલ થશે. અને નફલ નમાઝ આવી તૈયારીઓ સાથે પઢવી મકરૂહ છે. જેથી કરીને એવી હાલતમાં જુમ્આની નમાઝ પઢવી મકરૂહે તહરીમી થશે.

Log in or Register to save this content for later.