જુમ્આની નમાઝ વાજિબ થવાની શરતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 131 to 132)
  • મુકીમ હોય. મુસાફિર પર જુમ્આ વાજિબ નથી.
  • તંદુરસ્ત હોવું. બીમારો, આંધળાઓ, અપંગો, લાચારો અથવા ઘડપણના કારણે એવી કમજોરીવાળા જે પગે ચાલીને જુમ્આ મસ્જિદ સુધી ન જઈ શકે, એવા લોકો ઉપર જુમ્આની નમાઝ વાજિબ થશે નહીં.
  • આઝાદ હોય. ગુલામ પર જુમ્આની નમાઝ વાજિબ નથી.
  • મર્દ હોય. ઔરત પર જુમ્આની નમાઝ વાજિબ નથી.
  • જમાઅત છોડવાના જેટલા ઉઝર છે, જો કોઈ એવો ઉઝર હશે, તો જુમ્આની નમાઝ વાજિબ થશે નહીં. દા.ત. વરસાદ ઘણો જ જોરથી પડતો હોય, કોઈ એવા સખત બીમાર માણસની સારવાર કરતો હોય, મસ્જિદે જવામાં કોઈ દુશ્મનની બીક હોય, જેટલું શરીર ઢાંકવું ફર્ઝ છે, એટલું કપડું ન હોય, વિગેરે.
  • નમાઝ વાજિબ થવાની જે શરતો છે, તે બધી એમાં લાગુ પડશે. જેમકે આકિલ-બાલિગ હોવું, મુસલમાન હોવું.

મજકુર શરતો, જે ઉપર લખવામાં આવી તે જુમ્આની નમાઝ વાજિબ થવાની હતી. જે કોઈ માણસ આ શરતોથી બહાર હોવા છતાં જુમ્આની નમાઝમાં શામેલ થઈ નમાઝ પઢી લેશે, તો તેની નમાઝ દુરૂસ્ત થઈ જશે. એટલે કે, ઝોહરની ફર્ઝ નમાઝ તેના ઉપરથી ઉતરી જશે. હવે તેણે ઝોહરની નમાઝ પઢવાની જરૂરત રહેતી નથી.

Log in or Register to save this content for later.