Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 26 -27)
હજના ફર્ઝ ત્રણ છે :
[૧] એહરામ એટલે કે દિલથી હજની નિય્યત કરવી અને તલ્બિયહ (લબ્બૈક) છેવટ સુધી પઢવી.
[ર] અરફાતમાં થોભવું. ૯ ઝિલ્હજ્જના સૂર્યના ઢલવાના (ઝવાલ) સમયથી લઈ ૧૦ ઝિલ્હજ્જના સુબ્હે સાદિક સુધીમાં કોઈપણ સમયે અરફાતમાં થોભવું. ચાહે પછી એક પળ માટે પણ કેમ ન હોય.
[૩] તવાફે ઝિયારત : જે ૧૦મી ઝિલ્હજ્જના સવારથી લઈ ૧રમી ઝિલ્હજ્જના સૂર્યાસ્ત સુધીમાં કરવામાં આવે. આ તવાફની સુન્નત એ છે કે તેને રમી, કુર્બાની અને વાળ કતરાવા અથવા મુંડાવવા પછી કરવામાં આવે અને જો આ ત્રણેવથી પહેલાં તવાફે ઝિયારત કરશે તો પણ ફર્ઝ અદા થઈ જશે.
મસ્અલો : આ ત્રણેવ ફર્ઝોમાંથી કોઈપણ છૂટી જશે તો હજ અદા થશે નહીં અને દમથી પણ તેનો બદલો વળશે નહીં.
મસ્અલો : આ ત્રણેવ ફર્ઝોને ક્રમવાર અદા કરવા અને દરેક ફર્ઝને તેની ખાસ જગ્યા અને સમયે કરવા પણ વાજિબ છે.
Log in or Register to save this content for later.