Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 24 to 26)
[૧] મુસલમાન હોવુ.
[ર] હજ ફર્ઝ હોવાનું જ્ઞાન (ઈલ્મ) હોવુ.
[૩] બાલિગ (પુખ્તવય) હોવુ.
[૪] અકલમંદ હોવુ.
[પ] આઝાદ હોવુ.
[૬] હજનો ટાઈમ હોવો.
[૭] પોતાની જરૂરતથી વધુ માલ–દૌલત હોય એટલે કે રહેવા માટે ઘરની જરૂરી સામગ્રી તથા કર્ઝ ચૂકવવા ઉપરાંત એટલી મુંડી હોય કે સવારી ઉપર મક્કા મુકર્રમહ જઈને પાછો આવે. સાથે તેના પાછા આવવા સુધી કુટુંબના તે માણસો જેમના ગુજરાનની શરઈ જવાબદારી તેની ઉપર છે, તેમના ખાવા–પીવા–રહેવા વગેરેની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.
મસ્અલો : જો કોઈ માણસ હજ કરવા માટે કોઈને પૈસા ભેટ સ્વરૂપે આપે છે, તો તેને કબૂલ કરવા વાજિબ નથી. ચાહે હદીયો આપનાર સગાં–સંબંધી હોય અથવા બીજી કોઈ વ્યકિત હોય. પરંતુ જો એટલો માલ કોઈએ હદિયો કર્યો અને તેણે કબૂલ કરી લીધો તો હજ ફર્ઝ થઈ જશે.
મસ્અલો : દુકાનદાર માટે વેપારનો એટલો સામાન જેનાથી તેનું ગુજરાન થઈ શકે, ખેડૂત માટે હળ, બળદ, ટ્રેકટર વગેરે અને આલિમ માટે કિતાબો જરૂરતમાંથી છે.
દરેક ધંધા–રોજગારવાળાનો આ જ હુકમ છે કે તેના વ્યવસાયને લગતા ઓજારો અને જરૂરી સામાન તેની જરૂરતમાંથી ગણાશે. હજ ફર્ઝ થવામાં આ વસ્તુઓ બાદ કરીને બીજી રકમનો એતેબાર થશે.
મસ્અલો : કોઈ માણસ પાસે હજ પઢી શકાય એટલા પૈસા છે અને શાદી પણ કરવા ચાહે છે તો જો હજના દિવસો છે તો તેણે હજ પઢવી જરૂરી છે અને જો હજના દિવસો નથી આવ્યા તો નિકાહ કરી શકે છે, પરંતુ જો યકીન છે કે શાદી નહીં કરે તો ઝિનામાં સપડાય જવાશે, તો પ્રથમ નિકાહ કરે, હજ ન કરે.
મસ્અલો : એક માણસ પાસે એટલા પૈસા હતા કે તેના ઉપર હજ ફર્ઝ થઈ ગઈ, પરંતુ તેણે હજ પઢી નહીં અને પછી ગરીબ થઈ ગયો તો તેના ઝિમ્મે હજ બાકી રહેશે. તેણે હજ પઢવાની કોશિષ કરવી જરૂરી છે. અને મરણ વખતે વસીય્યત કરવી જરૂરી છે.
Log in or Register to save this content for later.