સહવનો સજદહ અને તેની રીત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 100 to 101)

સહવનો અર્થ ભૂલી જવું છે. ભૂલથી કોઈ વખતે નમાઝમાં વધઘટ થવાથી નમાઝમાં ખામી આવી જાય છે. કેટલીક ખામીઓ એવી હોય છે કે, તેને દૂર કરવા માટે નમાઝના આખરી કાએદહમાં બે સિજદહ કરવામાં આવે છે, તેને સિજદએ સહવ કહે છે.

સહવનો સિજદહ કરવાની રીત એ છે કે, આખરી કાએદહમાં તશહ્‌હુદ પઢવા પછી જમણી તરફ એક બાજુ સલામ ફેરવી તકબીર કહી સિજદહ કરે. સિજદહમાં તસ્બીહ પઢે, પછી તકબીર કહેતાં માથુ ઉઠાવી સીધા બેસીને ફરીથી તકબીર કહેતાં બીજો સિજદહ કરે. ફરી તકબીર કહેતાં માથુ ઉઠાવે અને બેસીને ફરીથી તશહ્‌હુદ, દુરૂદ શરીફ, દુઆ પઢી બન્ને બાજુ સલામ ફેરવી નમાઝ પૂરી કરે.

જો સિજદએ સહવના સલામ પહેલાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ, દુઆ પણ પઢી લીધી હોય, તો પણ કંઈ વાંધો નથી. બલ્કે કેટલાક ઉલમાએ કિરામે એહતિયાતની રૂએ પસંદ કર્યું છે.

Log in or Register to save this content for later.